હાલના સમયમાં અમેરિકામાં ભારતીય વિધાર્થીઓ પર ઘાતક હત્પમલાઓ અને મોતની ઘટના વધી રહી છે. ત્યારે આ હત્પમલાઓ પર વ્હાઈટ હાઉસે ખાસ નિવેદન બહાર પાડીને કહ્યું કે કોઈ પણ આધારે હિંસા અમેરિકામાં અસ્વીકાર્ય છે. વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્ર્રીય સુરક્ષા પરિષદમાં સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સના સંયોજક, જોન કિર્બીએ કહ્યું કે યુએસ પ્રમુખ જો બાઈડેન અને તેમનું વહીવટીતત્રં આ હત્પમલાઓને નિષ્ફળ બનાવવા અને રોકવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યું છે.
ભારતીય વિધાર્થીઓ પર થઈ રહેલા હત્પમલા અને માતા–પિતાને પોતાના બાળકોને અમેરિકા મોકલવાની ચિંતાઓ વિશેના એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું કે નિશ્ચિતપે અમેરિકામાં હિંસા માટે જાતિ,લિંગ, ધર્મ કે કોઈપણ પ્રકારનું બહાનું બિલકુલ સ્વીકાર્ય નથી, અમેરિકામાં રાષ્ટ્ર્રપતિ અને તેમનું તત્રં એ સુનિશ્ચિત કરવા માટે ખુબ જ મહેનત કરી રહ્યું છે કે અમે રાય અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને આ પ્રકારના હત્પમલાને નિષ્ફળ કરવા અને રોકવામાં સફળ થઈશું અને આ પ્રકારની ઘટના કરતા લોકોને યોગ્ય જવાબ અપાશે. આ નિવેદન અમેરિકામાં ભારતીયો અને ભારતીય–અમેરિકી પર હત્પમલા અને મોતની ઘટનામાં અચાનક થઈ રહેલા વધારા બાદ સામે આવ્યુ છે.૪ ફેબ્રુઆરીએ શિકાગોમાં એક ભારતીય વિધાર્થી પર ક્રૂર હત્પમલો થયો.જેનો વીડિયો વાયરલ થયો છે.
ઘણા વિધાર્થીઓ કમોતે મર્યા
પોલીસે કહ્યું કે ૭ ફેબ્રુઆરીએ વોશિંગ્ટન શહેરમાં એક હુમલા બાદ અમેરિકામાં ૪૧ વર્ષીય ભારતીય મૂળના વ્યકિતનું મોત થયુ હતું. પોલીસ મુજબ મૃતકની ઓળખ વર્જિનિયાના અલેકજેન્ડિ્રયાના વિવેક તનેજા તરીકે થઈ. પોલીસ રિપોર્ટ મુજબ આ ઘટના ૨ ફેબ્રુઆરીએ લગભગ ૨ વાગ્યે બની, ત્યારબાદ તનેજાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.જો કે ગંભીર ઈજાના કારણે તેમનું મૃત્યુ થયુ અને ૭ ફેબ્રુઆરીએ તેને મૃત જાહેર કરવામાં આવ્યો. વોશિંગ્ટન ડીસીમાં મેટ્રોપોલિટન પોલીસ શંકાસ્પદની ઓળખ કરવા અને તેની શોધ કરવામાં સાર્વજનિક મદદ માગી રહી છે
વિધાર્થી પર હથોડાથી હુમલો
ટિપ્પેકેનો કાઉન્ટી કોરોનર મુજબ ૩૦ જાન્યુઆરીએ પર્ડ્યું યૂનિવર્સિટીના વિધાર્થી નીલ આચાર્ય ઘણા દિવસો સુધી લાપતા રહ્યા બાદ મૃત મળી આવ્યો હતો. આ પહેલા એક અન્ય ભારતીય વિધાર્થી જેની ઓળખ વિવેક સૈની તરીકે થઈ હતી, તેને અમેરિકાના જોર્જિયાના લિથોનિયામાં એક સ્ટોરની અંદર એક વ્યકિતએ હથોડાથી મોતને ઘાટ ઉતાર્યેા હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech