રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રતિવર્ષ એડવાન્સ મિલકત વેરો ભરનાર મિલકતધારકોને ૧૦ ટકા વેરા વળતર આપવામાં આવતું હોય છે અને તે યોજનાનો એપ્રિલ માસથી પ્રારભં થતો હોય છે. દરમિયાન આજે રાજકોટ મ્યુનિ. કમિશનર આનદં પટેલએ જણાવ્યું હતું કે, આ વર્ષે મિલકત વેરામાં વળતર યોજનાનો પ્રારભં આગામી સાહના પ્રારંભિક દિવસોમાં કરવામાં આવશે. એડવાન્સ વેરો ભરનારને ૧૦ ટકા વળતર અપાશે અને જો મિલકતધારક મહિલા હશે તો તેમને વિશેષ ૫ ટકા સહિત કુલ ૧૫ ટકા વળતર અપાશે. આ ઉપરાંત વિવિધ કેટેગરીઓમાં પ્રતિવર્ષ જે મુજબ વળતર અપાતું હોય છે તે મુજબનું વળતર અપાશે.
વિશેષમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, હાલમાં નાણાકિય વર્ષ પૂરું થયું હોય સિસ્ટમનું અપગ્રેડેશન ચાલી રહ્યું છે જે પૂર્ણ થયે તુરતં જ મિલકત વેરા વળતર યોજના અમલી કરાશે. ગત વર્ષમાં ૩૬૫ કરોડની મિલકત વેરા આવક થઈ હતી જે હાલ સુધીની સર્વાધિક આવક છે. ગત વર્ષે ૬૦ ટકા કરદાતાઓએ ઓનલાઈન એડવાન્સ વેરો ચૂકતે કયર્ો હતો ત્યારે આ વર્ષે પણ કરદાતાઓ વેરા વળતર યોજનાનો બહોળી સંખ્યામાં લાભ લેશે તેવી તંત્રને અપેક્ષા છે.
મિલકત વેરામાં વેરા વળતર યોજના અંતર્ગત વેરો ચૂકવે તેમાં દરેક મિલકતધારકને ૧૦ ટકા વેરા વળતર, મિલકતધારક મહિલા હોય તો વિશેષ ૫ ટકા વેરા વળતર તદુપરાંત અર્લિબર્ડ ડિસ્કાઉન્ટ તરીકે ઓનલાઈન વેરો ભરનારને વિશેષ ૧ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય જે ડિસ્કાઉન્ટ ગત વર્ષે અપાતા હતા તેમાં દિવ્યાંગોને અપાતા ડિસ્કાઉન્ટ સહિતના દરેક ડિસ્કાઉન્ટ રાબેતા મુજબ યથાવત રાખવામાં આવ્યા છે. દિવ્યાંગોને વિશેષ ૫ ટકા વળતર અપાશેે. આ ઉપરાંત જે પ્રામાણિક કરદાતાઓ સતત ૩ વર્ષથી એડવાન્સ વેરો ભરપાઈ કરતા હોય તેમને વધારાનું ૧ ટકા વળતર આપવામાં આવશે.
અત્રે ઉલ્લ ેખનિય છે કે, ગત વર્ષે પ્રામાણિક કરદાતાઓએ જ મહાપાલિકાની તિજોરી વેરા વળતર યોજનામાં છલકાવી દીધી હતી. કુલ ટાર્ગેટની ૫૦ ટકા આવક વેરા વળતર યોજના અંતર્ગત જ થઈ ગઈ હતી અને આગામી વર્ષે પણ તેવું જ થશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં મિલકત વેરાની આવકનો ટાર્ગેટ મ્યુનિ. કમિશનર દ્રારા ૪૧૦ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech