રાજય સરકાર દ્રારા રાય પોલીસ દળના ૫૫૮ ફોજદાર (પીએસઆઈ)ને પોલીસ ઈન્સ્પેકટરના પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. સિલેકટ થયેલા તમામ પીએસઆઈના વર્તમાન કિલયરન્સ પૂછાયા છે. રાજકોટના વર્તમાન અને પૂર્વ મળી ૧૦થી વધુ પીએસઆઈનો પણ પ્રમોશન લિસ્ટમાં સમાવેશ કરાયો છે. ૩૫૮ પૈકી જેઓની સામે કેસ કે ખાતાકીય તપાસ કે આવી ગંભીર કોઈ બીના ચાલતી હશે તો તેમના પ્રમોશન અટકશે.
ગૃહ વિભાગ દ્રારા પોલીસ દળના બિન હથિયારધારી વર્ગ–૩માં સમાવિષ્ટ્ર પીએસઆઈને વર્ગ–૨માં પીઆઈ તરીકે સમાવવાનો બઢતી આપવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં ખાતાકીય બઢતી પસંદનગીની બેઠકમાં ફોજદારની નોકરીનો સમય તેમજ જે ખાતાકીય પરિક્ષા આપીને પોલીસમેનથી પીએસઆઈ સુધી પહોંચ્યા છે તેમનો સમાવેશ થયો છે. રાજયના પોલીસ કમિશનરેટ એરિયા તથા જિલ્લ ાઓમાં ફરજ બજાવતા આવા પીએસઆઈ પૈકી ૩૫૮ કર્મચારીને પસદં કરાયા છે.
રાજકોટ શહેરમાં પીએસઆઈ તરીકે હાલ ફરજ બજાવતા કે અગાઉ ફરજ બજાવી ચૂકેલા નાઈ પરેશકુમાર, રોહડિયા પ્રધ્યુમનસિંહ, ધાધલ મુળુભા, રાણા જનકસિંહ, પરમાર જગદીશભાઈ, ધાખડા પ્રવિણભાઈ, જાડેજા અરવિંદસિંહ, ધાંધલીયા હસમુખભાઇ, સાકરિયા ધવલભાઈ, ધામા પ્રવિણભાઇ, શુકલા જયપ્રકાશભાઈ, ગીડા અશોકભાઈ, રાણા મુળરાજસિંહ, હેરભા હરેશભાઈ, ઝાલા ભુપેન્દ્રસિંહ, પટેલ હિરલબેન, પરમાર અમરદિપ સિંહ,પરમાર ચંદ્રસિંહ, ગંગાનીયા ફરીદાબહેન તેમજ રાજકોટ રૂરલના ઝાલા મહિપાલ સિંહ, ગોહિલ કુલદિપસિંહ, ગોહિલ રાજદિપસિંહ, કનારા વલ્લભભાઇ, યાદવ મહેશકુમાર, રાણા સિધ્ધરાજસિંહ, રાદડીયા સંદિપકુમાર, બડવા દિલીપકુમાર ઝાલા જયદિપસિંહ, કોઠીયા વિપુલકુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય, જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં ફરજ બજાવતા પીએસઆઈના પણ પ્રમોશનની યાદીમાં નામ છે. ૩૫૮ પીએસઆઈને હવે કયારે ટુ સ્ટારમાંથી થ્રી સ્ટાર મળે તેનો ઈન્તજાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationEPFOનો મોટો બદલાવ: નોકરી બદલવા પર PF ટ્રાન્સફર થશે સરળ, 1.25 કરોડ લોકોને ફાયદો
April 25, 2025 10:49 PMપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech