બિલ્ડીંગ વિભાગ દ્વારા દીવાલ બનાવવા માટે અવરોધ રૂપ દબાણ દૂર કરવા તંત્રની કાર્યવાહી

  • October 05, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના આનંદનગર વિસ્તારમાં વીમાના દબાખાના નજીક મગાપાલિકાના બિલ્ડીંગ વિભાગ દ્વારા દીવાલ સહિતના કામો માટે ગતિવિધિ શરૂ કર્યા બાદ સૂચિત સ્થળે મોટા પાયે ગેરકાયદેસર દબાણો થયાનું જણાતા બિલ્ડીંગ વિભાગ દ્વારા દબાણ હટાવી લેવા આપેલી સૂચના બાદ દબાણો દૂર નહીં થતા જે અંગે બિલ્ડીંગ વિભાગ દ્વારા કમિશ્નર સમક્ષ કરેલી રજુઆતના પગલે આજે મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમે મ્યુ. કમિશ્નરની સીધી સૂચનાથી આનંદનગર વિસ્તાર, વીમાના દવાખાના નજીક બિલ્ડીંગ વિભાગ દ્વારા હાથ ધરાનાર દીવાલ સહિતના કામોમાં અવરોધ રૂપ દબાણો હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આ ઉપરાંત એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના સરદારનગર વિસ્તારમાં લીધેલા રાઉન્ડ દરમ્યાન  ટુ વ્હીલરના વેચાણ માટે જાહેર રોડ પર મંડપ નાખી અડચણ કરવામાં આવી હોવાનું જણાતા વાહનોને લોક ઠપકારી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી મંડપ સહિતનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું એસ્ટેટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા શહેરમાં દબાણો સામે પુન: કાર્યવાહી શરૂ કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી ફેલાવા સાથે આ કાર્યવાહી આગામી તહેવારો દરમ્યાન પણ શરૂ રાખવા માંગ ઉઠી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application