બગસરાના માણેકવાડામાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું

  • August 21, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગસરાના માણેકવાડા ગામમાં લેન્ડ ગ્રોબીંગ અંતર્ગત કરેલી કાર્યવાહીમાં સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલ હોવાથી આ જગ્યા સરકારી જમીન હોવાની જાહેર રસ્તો ખુલ્લ ો કરવા માટે અરજી ૨૦૨૪માં કરેલી હોવાના પગલે કલેકટર દ્રારા આ જમીન ઉપર જે કાંઈ દબાણ કરેલ હોયતે ૧૫૮૨૦૨૪ સુધીમાં દૂર કરવા આદેશ કરવામાં આવેલ હતો. જેના અનુસંધાને અરજદાર અજયભાઈ જેન્તીભાઇ પટોળિયા દ્રારા સ્વાગત કાર્યક્રમમાં આ અરજી મુકેલી હોવાથી આજે અમરેલી કલેકટરની સૂચનાથી મામલદાર તેમજ પોલીસ સ્ટાફ તેમજ સરકારી તંત્રને સાથે રાખી માણેકવાડા ગામમાં દબાણ કરેલી જગ્યામાં ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જોકે આ બાબતે સામા પક્ષે અરવિંદભાઈ વાલજીભાઈ પટોળિયા જાહેર રસ્તા ઉપર મકાન બનાવી લીધેલું હોવાથી તે જાહેર રસ્તાને ખુલ્લ ો કરવા અરજી કરવામાં આવેલી હતી જેના અનુસંધાને ડી આઈ એલ આર અમરેલી દ્રારા ૨૦૨૨માં વિવાદિત સ્થળની માપણી કરવામાં આવેલી હતી જે દબાણ કરેલું હોવાનું સાબિત પણ કરેલું હતું. જેથી અરજદાર દ્રારા ૭ નોટીસ આપવા છતાં બિન અધિકૃત દબાણ દૂર કરવામાંના આવતું હોવાથી આજ રોજ તા.૧૬ના રોજ મામલદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં આ જાહેર રસ્તાને ખુલ્લ ો કરવા માટે દબાણ કરેલ જાગ્યા ખાલી કરવામાં આવેલ હતી. મામલતદાર તથા પોલીસ દ્રારા કલેકટરના આદેશને પગલે માણેકવાડામાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application