જશવંતપુરમાં ગૌચરની જમીનમાં દબાણ ધાર્મિક સ્થળે અને ખેતરમાં જવાના રસ્તા બંધ

  • January 01, 2024 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જશવંતપુર ગામે આવેલ ગૌચરની જમીનમાં અમુક માથાભારે શખસો દબાણ કરી રહ્યા છે તેવી ચોકાવનારી રજૂઆત આ ગામના આગેવાનોએ આજે કલેકટર તંત્રમાં કરી હતી અને ગ્રામ પંચાયતના લેટરપેડ પર આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગામ લોકોએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે દબાણ કરનારાઓએ પાણીનું વહેણ બધં કરી દીધું છે. ધાર્મિક સ્થળે અને ખેતરે જવાના માર્ગ પણ બધં કરી દીધા છે. સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક સ્થળની મુલાકાત લઇ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી પણ કરવામાં આવી છે.
ગામ લોકોએ એવો પણ આક્ષેપ કર્યેા હતો કે જુના સર્વે નંબર ૫૦ માં પંચાયતની મંજૂરી વગર ૫૦ વર્ષ જૂનો જિલ્લા પંચાયત હસ્તકના ડેમનો પાળો પણ તોડી નાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application