નવી અસ્તિત્વમાં આવેલી સુરેન્દ્રનગર–દુધરેજ મહાપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ

  • May 22, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાના ગત બજેટ સત્ર દરમિયાન સાત નગર પાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત નાણામંત્રી દ્રારા કરવામાં આવી હતી એ દિશામાં ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્રારા કામગીરી શ કરવામાં આવી છે આ સાત નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવા માટે સીમાંકન ની કામગીરી લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ તરત જ હાથ ધરવામાં આવશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ સમયે કહ્યું કે, રાયમાં સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરો આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આ સાત નગરપાલિકા મહાનગરપાલિકા નવસારી ,મોરબી, વાપી ,ગાંધીધામ આણદં સુરેન્દ્રનગર–વઢવાણ અને મહેસાણાનો સમાવેશ થયો છે. રાયની સાત હયાત નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં તબદીલ કરવા માટે થઈને પ્રથમ સુરેન્દ્રનગર અને દુધરેજ નગરપાલિકાને મર્જ કરીને સીમાંકનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે બાકીની નગરપાલિકાઓમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની પાંચ વર્ષથી ટર્મ ૨૦૨૬માં પૂર્ણ થનાર છે. આથી સુરેન્દ્રનગર દુધરેજ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આવશે હાલ આ નગરપાલિકામાં ચૂંટાયેલી કોઈ પાખ નથી માત્ર વહીવટદાર મારફતે શહેરી વ્યવસ્થાનું સંચાલન થઈ રહ્યું છે.
આગામી સમયમાં ૮૫ થી વધુ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને અમદાવાદ સહિતના મ્યુનિસિપલ કોર્પેારેશનની પેટા ચૂંટણીનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે આ બધાની સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ચૂંટણી યોજવાની દિશામાં રાય ચૂંટણી આયોગ દ્રારા તૈયારી શ કરવામાં આવી છે નગરપાલિકાને કોર્પેારેશનમાં તબદીલ કરવાનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવશે ત્યારબાદ ઓજી વિસ્તાર સમાવેશ થતા અધિકારીઓની નિમણુકં સાથે અને ઓબીસી અનામત સહિતની વિવિધ બાબતો ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application