ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો

  • March 15, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાસી અને ગઢડા પોલીસમાં ફરજ બજાવતા 28 વર્ષના પ્રહલાદ બાવળિયાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે ધૂળેટીએ રાજ્યભરમાં ઉજવણીનો માહોલ હતો ત્યારે જ પોલીસ જવાન દ્વારા આત્મહત્યા કરી લેવાની આવી ઘટના બની હતી. 

ઘટનાની જાણ થતાં જ પ્રહલાદના ઘરે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે ઘટનાસ્થળેથી હજુ કોઈ સ્યુસાઇડ નોટ જેવું મળ્યું નથી એટલા માટે કયા કારણોસર આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે. 


પ્રાપ્ત વિગત મુજબ, પ્રહલાદ બાવળિયા કોન્સ્ટેબલ તરીકે ગઢડા પોલીસમાં ફરજ બજાવતો હતો. આ મામલે ગઢડા પોલીસના ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે પ્રહલાદ છસીયાણા ધંધૂકાના રહેવાસી હતા. તે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પ્રહલાદે પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી. હાલમાં તેમનો મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application