જમ્મુ -કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાબાદ ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કરીને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સમુદ્રી માર્ગે અથવા પોરબંદરના બંદર ઉપર કસી અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સમુદ્રમાં માછીમારી કરતાં સાગર પુત્રોને આઈ. એમ. બી. એલ. તરફ નહીં જવા માટે જણાવ્યું છે તો બીજી તરફ પોરબંદરમાં પણ જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા માર્ગદર્શન નીચે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદરમાં સુભાષ નગર અને ફિશરિઝ ટર્મિનલ વિસ્તાર સહિત જુના બંદર અને અસ્માવતી ઘાટમાં જ્યાં ફિશિંગ ફોટો બાંધવામાં આવી છે ત્યાં કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખલાસીઓના આઈડી પ્રૂફ સહિત વિગતો માંગવામાં આવી હતી. કશુ પણ અનિચ્છનીય મળી આવ્યુ નથી આમ છતાં સલામતી અને સુરક્ષાના ભાગપે તપાસ થઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech