ચીન બાદ હવે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ન્યુમોનિયા બાળકો પર તબાહી મચાવી રહ્યો છે, છેલ્લા 3 અઠવાડિયામાં આ રોગને કારણે અત્યાર સુધીમાં 200 બાળકોએ જીવ ગુમાવ્યા છે. ન્યુમોનિયાના કહેરના લોકો પરેશાની ભોગવી રહ્યા છે.ગરીબ પાકિસ્તાનની પરેશાનીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. છેલ્લા 3 અઠવાડિયામાં, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં તીવ્ર ઠંડી અને ન્યુમોનિયાના કારણે 200 થી વધુ બાળકોના મોત થયા છે. પંજાબની સરકારના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોને ન્યુમોનિયા સામે રસી આપવામાં આવી ન હતી. તેઓ કુપોષિત હતા અને સ્તનપાનના અભાવે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હતી.
ખરાબ હવામાનને કારણે સરકારે 31 જાન્યુઆરી સુધી રાજ્યભરની શાળાઓમાં મોર્નિંગ એસેમ્બલી યોજવા પર પહેલેથી જ પ્રતિબંધ મૂક્યો છે. પ્રાંતમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ન્યુમોનિયાના કુલ 10,520 કેસ નોંધાયા છે, જેમાંથી 220 બાળકોના મોત થયા છે. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી હતી. તેમાંથી 47 લોકોના મોત પંજાબની પ્રાંતીય રાજધાની લાહોરમાં થયા છે. ન્યુમોનિયા અટકાવવા માટે 3 રસી પાકિસ્તાનના પંજાબમાં રસીકરણ અભિયાનના નિર્દેશક મુખ્તાર અહેમદે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં જન્મેલા બાળકોને સામાન્ય રીતે જન્મના 6 અઠવાડિયા પછી ન્યુમોનિયા વિરોધી રસી આપવામાં આવે છે.
બાળકો માટે સલાહ
ડિરેક્ટરે કહ્યું કે વાયરલ ન્યુમોનિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બાળકો પર તેની અસરને ઝડપથી ઘટાડવાની જરૂર છે. આ માટે બાળકોને ચહેરા પર માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતા અપ્નાવવા અને ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, બાળકોને ન્યુમોનિયા થાય તો તેને તાત્કાલિક વરિષ્ઠ ડોકટરોને બતાવવા માટે પણ વિનંતી કરવામાં આવી છે.
રસીકરણના અભાવે મોત થયા હોવાની સરકારની વાત
પાકિસ્તાન પંજાબની સરકારનું કહેવું છે કે આમાંથી મોટી સંખ્યામાં બાળકોને ન્યુમોનિયા સામે રસી આપવામાં આવી ન હતી અને તેઓ કુપોષિત હતા. સરકારના જણાવ્યા અનુસાર, સ્તનપાનના અભાવે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી. ન્યુમોનિયાના વધતા જતા કેસોને જોતા સરકારે હોસ્પિટલોમાં વ્યવસ્થા વધારવા અને નાના બાળકો માટે સુવિધાઓ વધારવાના નિર્દેશ આપ્યા છે.
ગયા વર્ષે 990 બાળકોના જીવ ગયા હતા
ગયા વર્ષે પાકિસ્તાની પંજાબી પ્રાંતમાં ન્યુમોનિયાના કારણે 990 બાળકોના જીવ ગયા હતા. મુખ્તાર અહેમદે જણાવ્યું હતું કે આ નિવારક પગલાંનો હેતુ બાળકોમાં ન્યુમોનિયાના કેસોની સંખ્યામાં ઘટાડો અને પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જ્યારે હવામાન સુધરશે ત્યારે ઠંડી ઓછી થઈ જશે અને પછી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા લાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધક્કામુક્કી કાંડ મામલે રાહુલ ગાંધીની વધી શકે છે મુશ્કેલી? ભાજપે અનેક કલમો હેઠળ નોંધાવી ફરિયાદ
December 19, 2024 10:53 PMઅમદાવાદ: દાદાગીરીનો વિડિયો વાયરલ, પોલીસની કાર્યવાહી, બે કર્મચારી સસ્પેન્ડ
December 19, 2024 09:54 PMગુજરાત સરકારની ખેડૂતો માટે ખુશખબર: ખેડૂતો પાસેથી રૂ.2425ના ભાવે ખરીદશે ઘઉં
December 19, 2024 08:40 PMજામનગર વકીલ મંડળની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત બેઠક ફાળવાય
December 19, 2024 06:01 PMભાજપ આંબેડકરના યોગદાનને ભૂંસી નાખવા માંગે છે, અમિત શાહ રાજીનામું આપેઃ રાહુલ ગાંધી
December 19, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech