અમદાવાદના રખિયાલમાં થયેલી દાદાગીરીની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં પોલીસકર્મીઓની બેદરકારી સામે આવતા બે પીસીઆર વાનના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દાદાગીરી કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવાની કામગીરી ચાલુ છે.
પોલીસે જે બે આરોપીઓને ઝડપી લીધા છે તેમાં અલ્તાફ ઉર્ફે જુમ્મન અને સરવર ઉર્ફે કડવોનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ પાસાના ગુનેગાર છે અને તેમની પાસે અનેક ગુનાઓ નોંધાયેલા છે.
વિગતવાર વાત કરીએ તો અમદાવાદના રખિયાલમાં લુખ્ખા તત્વોની દાદાગીરીને મુંગા મોઢે સહન કરનારા પીસીઆર વાનના બે કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ સામે દાદાગીરી કરનારા બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે ભાગી છુટેલા અન્ય આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે.
પોલીસે પકડેલા આરોપીઓ પૈકી અલ્તાફ ઉર્ફે જુમ્મનને 6 વાર પાસા થઈ છે. તેની સામે કુલ 43 ગુના નોંધાયેલ છે. અન્ય આરોપી સરવર ઉર્ફે કડવો, ને 3 વાર પાસા કરવામાં આવી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલ છે.
મહત્વનું છે કે, અંદરો અંદર જૂની અદાવતમાં અગાઉથી ઝગડાઓ થયેલ છે, તેની અદાવતમાં ગઈકાલે 6 આરોપીઓ ગયા હતા. 4 આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ, ઝોન એલસીબી, ક્રાઇમ બ્રાન્ચની ટિમો કાર્યરત છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલ રખિયાલ પોલીસના સ્ટાફ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech