પ્રભાસપાટણ શહેરમાં ચારેબાજુ ગંદકી જોવા મળે છે જયાં ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે અને આ કચરામાંથી ગાયો પ્લાસ્ટિકનો કચરો ખાઇને મૃત્યુ પામે છે. પ્રભાસપાટણની બજારો અને ગલીઓ ખૂબ જ સાંકડી અને ગીચ વસ્તી ધરાવતું શહેર કયાંય પણ ખુલ્લી જગ્યા આવેલ નથી. મોટાભાગની જમીન સોમનાથ ટ્રસ્ટ પાસે છે. સાંકડી બજારો અને ગલીઓમાં કચરો એકઠો થવાને કારણે લોકો ખૂબ જ હેરાન થાય છે અને બીમારીનો ભોગ બને છે. નગરપાલિકાના જવાબદાર લોકો કોઇ જાતનું ધ્યાન આપતા ન હોવાથી લોકો પરેશાન છે.
બજારમાં વારંવાર ગટરો છલકાવવાને કારણે દુર્ગંધ મારતા પાણીથી લોકો પરેશાન છે. મચ્છરોને કારણે રોગચાળામાં વધારો થાય છે. ફોગીંગ મશીન ફેરવવામાં આવતું નથી. સોમનાથ મંદિરની સામેના ભાગે પણ ગટરો ઉભરાવવાને કારણે યાત્રિકોને દુર્ગંધ યુકત પાણીમાંથી પસાર થવું પડે છે. નગરપાલિકાની પાસે ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટેનું વાન છે પરંતુ નિયમિત આવતું નથી અને કચરો ભરવાં પણ આવતા નથી. પ્રભાસપાટણના લોકો ટેક્ષ ભરવા છતાં સુવિધાઓ મળતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech