માફિયાઓના કરાયેલ દબાણ દુર કરવા ધ્રોલ જાગૃત નાગરિક સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન

  • August 08, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માફિયાઓના કરાયેલ દબાણ દુર કરવા ધ્રોલ જાગૃત નાગરિક સંગઠન દ્વારા કલેક્ટરને આવેદન

જામનગર જિલ્લા ધ્રોલમાં આવેલી ઐતિહાસિક ભુચરમોરી જગ્યાના આજુબાજુમાં આવેલ ગૌચરની ૪૭ લાખ ચોરસ મીટરની જગ્યાઓ ઉપર દબાણ થાય અને રેતી માટીનું બેફામ ખનન થતું હોવાનું ધ્રોલ જાગૃત નાગરિક સંગઠન કલેક્ટરને લેખિત રજુઆત કરવામાં આવી છે. 

ધ્રોલ થી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલ ભુચરમોરીની જગ્યામાં દર વર્ષે કેટલાક કાર્યક્રમો થાય છે મેળા થાય છે,ત્યારે આ જગ્યામાં મોટા પાયે દબાણ થઈ રહ્યું છે અમુક શખ્સો દ્વારા હોટલો બનાવી દેવાય છે તો અમુક શખ્સો દ્વારા ખેડાણ કરી ગેરકાયદે વંડો વાળી રેતીના સટ્ટા મારી દબાણ કરવામાં આવી રહ્યું છે.અને માટી તથા રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે.તે અંગે ધ્રોલ નાગરિક સંગઠન દ્વારા  આજે જામનગર કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application