ચલાલામાં ઘણાં સમયથી પીજીવીસીએલ દ્વારા ધાંધીયા ચાલુ કરાતા શહેરીજનોમાં પીજીવીસીએલ સામે આક્રોશ સાથે રોષ ભભુકતો જોવા મળી રહ્યો છે. મફતીપ્લોટ ફીડર વિસ્તારમાં રહેતા સ્થાનીક આગેવાનોએ જણાવ્યા મુજબ ચલાલા મફત પ્લોટ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી વિજળી ઉપકરણો નિયમીત નહીં મળતા આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બે વર્ષમાં અનેક વખત સ્થાનીક આગેવાનોને સાથે રાખી ફોલ્ટ દુર કરવા કચેરીએ રૂબરૂ જઈને લેખીત મૌખીક રજુઆતો કરી છે. છતાં આ નિંભર તંત્ર દ્વારા કોઈ હકારાત્મક કામગીરી થતી નથી. દિવસ-રાત દરમ્યાન લાઈટ આવન જાવન કરે છે. દિવસ દરમ્યાન ચાર ચાર કલાક વિજળી જતી રહે છે. આ શ્રમ વિસ્તાર હોવાથી અમારી રજુૂઆતને ધ્યાને લેવાતી નથી. જયારે શહેરના પોશ વિસ્તારમાં વિજળી નિયમીત મળે છે. વહેલી તકે મફત પ્લોટમાં આવેલ ગાયત્રી ફિડરમાં રીપેરીંગ કરી ફોલ્ટ દુર કરવામાં નહીં આવે તો કચેરીએ મોટી સંખ્યામાં લોકો જઈને હલ્લ ાબોલ કરશે તેવી સ્થાનીકોએ રજુઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech