મુસાફરોનું રનવે પરનું ભોજન ઈન્ડિગોને સવા કરોડમાં પડ્યું

  • January 18, 2024 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્યુરો આફ સિવિલ એવિએશન સિકયુરિટીએ મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ રનવે પર બેસીને ભોજન કરવું પડું હતું એ ઘટના બદલ ઈન્ડિગો એરલાઈન્સ પર ૧.૨ કરોડ પિયાનો દડં લગાવ્યો છે. છેલ્લા થોડા સમય થી હવાઈ સેવા આપતી સર્વિસીસ સામે અનેક સવાલો ઉભા થયા હતા અને મુસાફરો સાથે અત્યતં શરમજનક વ્યવહાર થઇ રહ્યો હોવાની ફરિયાદો ઊઠી હતી જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્ડિગો એરલાઈન્સને લઈને મુસાફરો તરફથી ઘણી ફરિયાદો જોવા મળી હતી. ઘણી વખત લાઇટ મોડી થવાના કારણે મુસાફરોને કલાકો સુધી સમસ્યાનો સામનો કરવો પડો હતો અને ઘણી વખત મુસાફરો પાઇલટ સાથે દલીલ કરતા જોવા મળ્યા હતા.મુંબઈ એરપોર્ટ પર રસ્તા પર ભોજન ખાતા મુસાફરોનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે બ્યુરો આફ સિવિલ એવિએશન સિકયુરિટીએ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને શો કોઝ નોટિસ ફટકારી હતી. બ્યુરો આફ સિવિલ એવિએશન સિકયુરિટીએ ૧૬ જાન્યુઆરીએ જ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને શો કોઝ નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો હતો, પરંતુ જવાબ મળ્યો ન હતો. નિયત સમયમાં જવાબ આપવામાં ન આવતાં નાણાકીય દડં સહિત અમલીકરણની કાર્યવાહી કરવામાં આવી હતી.
ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયા સામે કડક કાર્યવાહી કરી છે. ડીજીસીએ એ દરેકને ૩૦ લાખ પિયાનો દડં ફટકાર્યેા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application