જામનગરમાં માવતરે આંટો દેવા આવેલી પરણિતાનો અગ્નિસ્નાન દ્વારા આપઘાત

  • February 06, 2024 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફોનમાં પતિએ ઠપકો આપતા લાગી આવવાથી પગલું ભર્યુ

જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં પોતાના માતા પિતાના ઘેર આંટો દેવા આવેલી પરણીતાએ પોતાના શરીર પર કેરોસીન રેડી અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણી નું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે.
જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં રહેતી અને માધાપર ભુંગામાં પરણાવેલી શેરબાનું હબીબભાઈ કુંગડા નામની ૩૫ વર્ષની વાઘેર પરણીતા કે જે પોતાના માતા પિતાને ઘેર બે વર્ષની નાની પુત્રીને લઈને આંટો દેવા માટે આવી હતી. જયાં તેની પુત્રી તોફાન કરીને રડતી હોવાથી અને ઘરકામ કરવા દેતી ન હોવાથી શેરબાનુએ પોતાના પતિને મોબાઈલ ફોનથી વાત કરી હતી.
જેથી પતિએ ફોનમાં ઠપકો આપી ફોન કાપી નાખ્યો હતો, જે બાબતે તેણીે માઠું લાગી આવતાં ગત તા. ૧૭-૧૧-૨૩ના રોજ પોતાના શરીર પર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિ સ્નાન કરી લીધું હતું. જેથી તેણીને સૌપ્રથમ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે હબીબભાઇ કુંગડાએ સીટી-એ ડીવીઝનમાં જાણ કરતા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
જામનગરમાં દુકાનદારનો રહસ્યમય સંજોગોમાં આપઘાત: દુકાને શરીર પર પેટ્રોલ છાંટીને અગ્નીસ્નાન કરી લેતા શોકની લાગણી

જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક દુકાનદારે કોઈ અગમ્ય કારણોસર પોતાની દુકાનમાં કાયા પર પેટ્રોલ રેડી અગ્નિસ્તાન દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.
જામનગરના રામેશ્વર નગર નજીક ગાયત્રી નગર શેરી નં. ૩માં રહેતા અને પંચવટી વિસ્તારમાં દુકાન ચલાવતા ભાગ્યદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની દુકાનમાં કોઈ અગમ્ય કારણસર પોતાના શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્તાન કરી લીધું હતું.
જે બનાવ અંગે ૧૦૮ની ટીમને જાણ થતાં ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ભાગ્યદીપસિંહને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કૃષ્ણદીપસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન ભાજપના વોર્ડનો મહામંત્રી હોવાનું જાણમાં આવ્યું છે, યુવાનના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ છે, બીજી બાજુ કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
***
મોડા સીમમાં ત‚ણીની ગળાફાંસો ખાઇને આત્મહત્યા: મોબાઇલ બાબતે ઠપકો આપતા લાગી આવવાથી જીવતર ટુંકાવ્યું

જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં રહેતી એક ત‚ણીએ ચુંદડી વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે. મોબાઇલ મામલે ભાઇ સાથે ઝઘડો અને ફોન તોડી નાખવા બાબતે માતા પિતાએ ઠપકો આપતા મનમાં લાગી આવવાથી આ પગલુ ભરી લીધુ હતું.
મુળ એમપીના અલીરાજપુરના વતની હાલ જામનગર તાલુકાના મોડા ગામની સીમમાં ઘોઘુભાની વાડીએ રહેતા ખેતમજુરી કરતા હંસાબેન કલમસિંહ ઉર્ફે કમલેશભાઇ પસાયા (ઉ.વ.૧૬) નામની ત‚ણીને તેના નાના ભાઇ અરવિંદ સાથે મોબાઇલ જોવા બાબતે ઝઘડો થયો હતો ત્યારબાદ તેણીએ મોબાઇલનો ઘા કરીને તોડી નાખ્યો હતો.
જેથી આ બાબતે તેણીને તેના માતા-પિતાએ ભાઇ સાથે ઝઘડો અને મોબાઇલ તોડી નાખવા અંગે ઠપકો આપ્યો હતો જે બાબતનું ત‚ણીને મનમાં લાગી આવતા રાત્રીના કોઇ સુમારે ઓરડીની આડી સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે કમતુબેન કલમસિંહએ પંચ-એમાં જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application