જામનગર જિલ્લાના સાત પોલીસ ઇન્સ્પેક્ટરની જિલ્લા પોલીસવડા દ્વારા આંતરિક ફેરબદલી

  • April 10, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના એસ.પી. દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં ફરીથી ગંજીપો ચીપવામાં આવ્યો છે, અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૭ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક ફેરબદલીઓ કરી છે.


જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ગઈકાલે એકી સાથે સાત પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓ ના ઓર્ડર કાઢ્યા હતા. જેમાં જામનગરના લિવ રિઝર્વમાં રહેલા પી.આઈ. વી.એસ. પટેલ ને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે કાલાવડ ગ્રામ્યના પીઆઇ એન. બી. ડાભીની બદલી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે, આ ઉપરાંત સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. જે. જે. ચાવડાને સિક્કા પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે.


 આ ઉપરાંત લિવ રિઝર્વ માં રહેલા પીઆઇ વી.બી. ચૌધરીની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ઉપરાંત એ એચ.ટી.યુ વિભાગના પી.આઇ. આય.જે વાઘેલા ની બદલી એલ.આઈ.બી. શાખામાં કરવામાં આવી છે. તેમના સ્થાને લીવ રિઝર્વમાં રહેલા એ. એ. ખોખરને એ.એચ.ટી.યૂ. માં મુકવામાં આવ્યા છે. ઉપરાંત શેઠ વડાળા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.જે. પનારાની બદલી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application