‘ચમકિલા’ માટે પરિણીતીએ વધાર્યું હતું 15 કિલો વજન, હવે થઈ રહી છે સ્લિમ
પરિણીતી ચોપરા તેની ફિલ્મ 'ચમકિલા'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે દિલજીત દોસાંજ સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે અભિનેત્રીએ પોતાનું વજન 15 કિલો વધાર્યું હતું. હવે અભિનેત્રી વજન ઉતારી રહી છે. પરિણીતીએ તેની ફિટનેશ જર્નીનો વીડિયો શેર કર્યો છે.
સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પરિણીતી ચોપરાએ બોલિવૂડ છોડ્યું નથી અને લગ્ન બાદ તે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ મિશન રાનીગંજમાં જોવા મળી હતી. જો કે અભિનેત્રીએ લગ્ન પહેલા આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું.
હવે પરિણીતી દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ચમકિલા' માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પરિણીતી પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની પત્ની અમરજોત સિંહ ચમકીલાની ભૂમિકા ભજવશે.
હવે પરિણીતી ચોપરાએ આ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો તેના ફેન્સ સાથે શેર કર્યા છે. પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરીને પરિણીતીએ તેના ચાહકોને ચોંકાવનારી વાતો જણાવી છે. એ ફિલ્મ માટે તેણે 15 કિલો વજન વધાર્યું છે. પરિણીતીએ આ પોસ્ટ શેર કરી છે.પરિણીતીએ આ વીડિયોના કેપશનમાં લખ્યું છે, સંગીત અને ફૂડ, જે મારી રૂટિન છે. ફિલ્મ બની ગઈ છે અને હવે હું જીમમાં મારી ફિટનેસ પાછી મેળવી રહી છુ. મારે હજી બોડી પહેલા જેવી કરવાની છે.
ચમકીલા વિશે વાત કરવામાં આવે તો ફિલ્મ ચમકીલા એ બે પંજાબી સ્ટાર ગાયક અમર સિંહ ચમકીલા અને તેમની પત્ની અમજોત કૌરની મૂવી છે, જેમને 1988 માં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન તેમના બેન્ડના બે સભ્યો સાથે ગોળી મારી દેવામાં આવી હતી. તે સમયે અમર સિંહ ચમકીલા માત્ર 27 વર્ષના હતા અને દેશભરમાં લોકપ્રિય હતા. આ ફિલ્મ બહુ જલ્દી નેટફ્લિક્સ પર રીલિઝ થવા જઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech