પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા જામનગરની મુલાકાતે

  • July 06, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલના  મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા દ્વારા ગઈકાલ તા.૦૪,૦૭,૨૦૨ ના રોજ જામનગર વર્તુળ કચેરીની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.


જે મુલાકાત દરમિયાન તેઓએ જામનગર વિસ્તાર હેઠળ ચાલતી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે, તે માટે હૈયાત વીજલાઈનને બદલે કવર્ડ કેબલ નાખવાની કામગીરી ઝડપી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.


આ ઉપરાંત, સ્માર્ટ વીજ મીટર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેઓ દ્વારા વીજલાઈનોના સમારકામ, તથા માલ-સામાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વિજ જોડાણ માટે ના અરજદારની નવા વીજજોડાણોની અરજી પરની થતી કામગીરીની મૂલવણી કરી હતી, ઉપરાંત એચટી અને ઓદ્યોગીક વીજ જોડાણો આપવાની કામગીરીને પણ ગ્રાહકલક્ષી અભિગમ અપનાવી ઝડપી ધોરણે કરવામાં આવે તે જોવા સૂચિત કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application