જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં લોન મેળા માટે જનસંપર્ક મેળો

  • June 22, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જનતાને વ્યાંજકવાદીઓથી બચાવવા પોલીસનું આયોજન

જામનગરમાં પોલીસ હેડક્વાર્ટરમાં લોન મેળા માટે જનસંપર્ક મેળો

જામનગર તા ૨૨,જામનગરમાં રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવની સૂચના મુજબ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનાં માર્ગદર્શનમાં તા. ૨૪/૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન સરૂ સેકશન વિસ્તારમાં આવેલ પોલીસ હેડક્વાર્ટરમાં જનતા માટે જાહેલ લોન મેળા માટે જનસંપર્ક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક રાષ્ટ્રીયકૃત બેંક તથા સહકારી બેંકનાં પ્રતિનિધીઓ હાજર રહેશે.

     જે લોકો ભવિષ્યમાં લોન લેવા ઇચ્છતા હોય એ લોકોને સરળતાથી લોન મળી રહે અને સાચુ માર્ગદર્શન મળે તથા જનતા ગેરકાયદે નાણા ધીરનાર વ્યાંજકવાદીઓની ચુંગાલમાં ન ફસાય એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application