ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે રાજકોટ સહિત રાજયભરના તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓને એક પરિપત્ર પાઠવીને ચોખાના સ્ટોક બાબતે કેન્દ્ર સરકારના પોર્ટલ પર ફરજિયાત નોંધણીનો આદેશ કર્યેા હોવાનું પુરવઠા તંત્રમાંથી જાણવા મળે છે.પુરવઠા તંત્રના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાય સરકારે જે પરિપત્ર કર્યેા છે તેમાં ચોખા અને ડાંગરના હોલસેલ વેપારીઓ, રિટેલર પ્રોસેસર અને મિલર સહિતનાઓને તેમની પાસે કેટલો જથ્થો પડો છે તેની નોંધણી કેન્દ્ર સરકારના પોર્ટલ પર ફરજિયાત રીતે કરવાની સૂચના મળી છે. અમે આ સૂચના વેપારીઓ હોલસેલરો અને મિલરોને આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સરકારની આ સૂચના મુજબ વેપારીઓએ દર શુક્રવારે તેમની પાસે ચોખા અને ડાંગરનો કેટલો જથ્થો છે તેની વિગતો અપડેટ કરવાની રહેશે. છેલ્લા એકાદ વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં . ૧૪.૫૦ પૈસા જેટલો વધારો થયો છે. જથ્થાબધં ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. હવે ચોખા અને ડાંગરના ભાવ નિયંત્રિત રહે તથા તેમાં ઘટાડો આવે તે માટે સરકારે દેશભરમાંથી સ્ટોકની વિગતો મંગાવી છે અને ત્યાર પછી સ્ટોક નિયંત્રણ કે તે પ્રકારના પગલાની અપેક્ષા છે.ઘઉંમાં અત્યારે ૩૦ ટન સ્ટોક લિમિટ રાખવામાં આવી હતી તેમાં પણ સરકારે ઘટાડો કરીને હવે માત્ર ૧૦ ટનની સ્ટોક લિમિટ કરી છે. ચોખા અને ડાંગરની માફક ઘઉંના ભાવમાં પણ વધારો થવાથી સરકારે નિયંત્રણો લાદયા હતા અને તેનાથી પરિસ્થિતિમાં સુધારો પણ થયો છે. હવે આવું જ કંઈક સરકાર ચોખા અને ડાંગરમાં કરવા જઈ રહી હોવાનું લાગે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech