ચોખામાં સ્ટોક લિમિટના ભણકારા: જથ્થાની નોંધણી પોર્ટલ પર ફરજિયાત કરાવવા આદેશ

  • February 20, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે રાજકોટ સહિત રાજયભરના તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓને એક પરિપત્ર પાઠવીને ચોખાના સ્ટોક બાબતે કેન્દ્ર સરકારના પોર્ટલ પર ફરજિયાત નોંધણીનો આદેશ કર્યેા હોવાનું પુરવઠા તંત્રમાંથી જાણવા મળે છે.પુરવઠા તંત્રના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ રાય સરકારે જે પરિપત્ર કર્યેા છે તેમાં ચોખા અને ડાંગરના હોલસેલ વેપારીઓ, રિટેલર પ્રોસેસર અને મિલર સહિતનાઓને તેમની પાસે કેટલો જથ્થો પડો છે તેની નોંધણી કેન્દ્ર સરકારના પોર્ટલ પર ફરજિયાત રીતે કરવાની સૂચના મળી છે. અમે આ સૂચના વેપારીઓ હોલસેલરો અને મિલરોને આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
સરકારની આ સૂચના મુજબ વેપારીઓએ દર શુક્રવારે તેમની પાસે ચોખા અને ડાંગરનો કેટલો જથ્થો છે તેની વિગતો અપડેટ કરવાની રહેશે. છેલ્લા એકાદ વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં . ૧૪.૫૦ પૈસા જેટલો વધારો થયો છે. જથ્થાબધં ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. હવે ચોખા અને ડાંગરના ભાવ નિયંત્રિત રહે તથા તેમાં ઘટાડો આવે તે માટે સરકારે દેશભરમાંથી સ્ટોકની વિગતો મંગાવી છે અને ત્યાર પછી સ્ટોક નિયંત્રણ કે તે પ્રકારના પગલાની અપેક્ષા છે.ઘઉંમાં અત્યારે ૩૦ ટન સ્ટોક લિમિટ રાખવામાં આવી હતી તેમાં પણ સરકારે ઘટાડો કરીને હવે માત્ર ૧૦ ટનની સ્ટોક લિમિટ કરી છે. ચોખા અને ડાંગરની માફક ઘઉંના ભાવમાં પણ વધારો થવાથી સરકારે નિયંત્રણો લાદયા હતા અને તેનાથી પરિસ્થિતિમાં સુધારો પણ થયો છે. હવે આવું જ કંઈક સરકાર ચોખા અને ડાંગરમાં કરવા જઈ રહી હોવાનું લાગે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application