સિગારેટ બાબતે ઠપકો આપતાં એકના એક પુત્રે ઘર છોડ્યું: માતા-પિતા ચિંતામાં

  • December 12, 2023 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રોડ પર પરસાણાનગર-6માં રહેતાં સફાઇ આરએમસીના સફાઇ કામદારનો એકનો એક પુત્ર ઘરેથી લાપતા થઈ જતા માતા-પિતા ચિંતામાં મુકાયા ગયા છે. આ બાબતે પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરની શોધખોળ શરૂ કરી છે. માતા-પિતાએ સિગરેટ પીવા બાબતે ઠપકો આપતા પુત્રએ ઘર છોડી દીધું હતું.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા સફાઈ કામદાર ખોડીદાસભાઇ માવજીભાઇ વાઘેલાએ તા. 9/12/23ના બપોરે સાડા ત્રણેક વાગ્યે પોતાના દિકરા કરણ (ઉ.વ.17)ને તે સિગારેટ પીતો હોઇ તે બાબતે ઠપકો આપી સમજાવ્યો હતો. આ પછી તે હું મોટા બહેનના ઘરે જાઉ છું તેમ કહીને ઘરેથી નીકળી ગયા બાદ પરત ન આવતાં ખોડીદાસભાઇએ દિકરી સ્વેતાને ફોન કરી ભાઇ કરણ ત્યાં આવ્યો છે કે કેમ? તે અંગે પૂછતા તેણીએ ના પાડી હતી. બાદમાં કરણને શોધવા પરિવારજનો કામે  લાગ્યા હતાં. પરંતુ મળ્યો ન હોઇ પ્ર.નગર પોલીસને જાણ કરતાં સગીર ગૂમ થવાના બનાવમાં પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં એએસઆઇ સી. જે. ઝાલાએ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માતા-પિતાએ દિકરા કરણને જ્યાં હોય ત્યાંથી પરત આવી જવા આજીજી કરી છે.સગીર અંગે માહિતી હોઈ તો પ્ર.નગર પોલીસને ફોન 0281 2446055 અથવા ખોડીદાસભાઇને મો. 98798 78581 ઉપર જાણ કરવા માટે જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application