એલસીબીએ વોરન્ટ બજવણી કરી વડોદરા જેલમાં ધકેલ્યો
જામનગરમાં પ્રોહીબીશનના કેસમાં સંડોવાયેલા વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, એલસીબીએ વોરન્ટની બજવણી કરી આ શખ્સને વડોદરા મઘ્યસ્થ જેલમાં મોકલી આપવા તજવીજ કરી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી બુટલેગર તથા અસામાજીક પ્રવૃતીઓ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અસામાજીક પ્રવૃતીઓ કરનારા સામે પાસા દરખાસ્ત તૈયાર કરવા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીને સુચના કરાતા તેમના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે. કરમટા, શરદ પરમાર, હિરેન વરણવાએ અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરૂઘ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી એસપી મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એ. શાહ તરફ મોકલતા મેજીસ્ટ્રેટે પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આ વોરન્ટની બજવણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગરના ગુલાબનગર, રામવાડી બજરંગ ચોક ખાતે રહેતા અને પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા અબ્દુલ ઉર્ફે ગણીત અબ્દુલ કરીમ મકવાણાને અટકમાં લઇ પાસા વોરન્ટના આધારે વડોદરા મઘ્યસ્થ જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech