પોરબંદરમાં શ્રાવણી પૂનમે અગ્રણીઓએ કર્યુ દરિયાદેવનું પૂજન

  • August 20, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં શ્રાવણી પૂનમના દિવસે અગ્રણીઓએ દરિયાદેવનું પૂજન કરીને નવુ વર્ષ રિધ્ધિ-સિધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી. પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણીપૂનમના દિવસે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સાગરપુત્રો દરિયાદેવનું પૂજન કરે છે તે અંતર્ગત પોરબંદરમાં પણ ખારવાસમાજના આગેવાનો રણછોડભાઇ શિયાળ અને મયુરભાઇ શિયાળ તેમજ રઘુવંશી અગ્રણી મનુભાઇ મોદીએ દરિયાદેવની પૂજા તથા નાળિયેરપૂજન કર્યુ હતું. આ પૂજા બાદ સાગરપુત્રો તેમના માછીમારીના ધંધાની શ‚આત કરે છે ત્યારે રક્ષાબંધનના દિવસે સમુદ્રદેવનું વિધિવત પૂજન કરીને દૂધમાં મધ, સાકર, અબીલ-ગુલાલ અને પુષ્પથી દરિયાદેવની પૂજા કરી હતી અને ભૂદેવોએ મંત્રોચ્ચાર કરાવ્યો હતો. સમુદ્રદેવ માછીમારો વહાણવટા અને શીપમાં જતા સાગરપુત્રોનું ધ્યાન રાખે અને તેમના વેપારધંધામાં બરકત આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અસ્માવતીઘાટ નજીક દર વર્ષે પરંપરાગત પૂજનનું આયોજન થાય છે અને નાળીયેરીપૂનમે દરિયો ખેડનારા માછીમારો માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે. માછીમારો દરિયાદેવની પૂજા પછી પોતાનો વ્યવસાય શ‚ કરે છે ત્યારે આ દિવસની સૌને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application