આજે ગુરૂવારે આસો સુદ પૂનમના રોજ શરદપૂર્ણિમા નિમિતે ભાવનગર શહેર અને જિલ્લામાં લોકોએ ઉંધીયું, પુરી દહીંવડા અને ગુલાબજાંબુની જયાફત માણી હતી.શરદ પૂનમની રઢિયાળી રાતે લોકો બોરતળાવ, કુડા, કોળી યાક,હાથબ, ગોપનાથ સહિતના સ્થળોએ સપરિવાર અને મિત્ર વર્તુળો સહિત ઉમટી પડશે.
વર્ષની સૌથી મોટી પૂનમ ગણાતી શરદપૂર્ણિમા પર્વની ઉજવણી આજે ગુરૂવારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.શરદપૂનમના રોજ ખાસ કરીને ઊંધિયું, દહીંવડા અને ગુલાબજાંબુ સહિતની વાનગીઓ આરોગવાનું ચલણ છે. તેલ, શાકભાજી અને અન્ય સામગ્રીઓના ભાવ વધેલા હોવાથી ઊંધિયાના ભાવ આ વર્ષે ૧૦થી ૧૫ ટકા વધારે રહયા આમ છતાં,લોકોએ લાખો રૂપિયાના ઊંધિયું, દહીંવડા, ગુલાબજાંબુ વગેરેની જ્યાફત માણી હતી. હાલના સમયમાં મોટા ભાગના લોકો ઘરે ઉંધીયું બનાવવાની કડાકૂટમાં પડતાં નથી.આથી આજે ગુરૂવારે સવારથી જ ઉંધીયું, દહીંવડા અને ગુલાબ જાંબુ સહિતની વાનગીઓ ખરીદવા માટે મિઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં લોકોની ભારે ભીડ જામી હતી.લોકોએ ઉંધીયું, દહીંવડા અને ગુલાબ જાંબુ સહિતની વાનગીઓ આરોગી શરદપૂનમ પર્વની મજા માણી હતી.
શરદપૂનમની ચાંદની રાતની શીતળતા માણવા માટે સાંજે સપરિવાર તેમજ સ્નેહીઓ અને મિત્રવર્તુળ સાથે ભાવનગર શહેરના બોર તળાવ, તખ્તેશ્વર, કોળીયાક,કુડા,ઘોઘા અને શિહોરના ગોતમેશ્વર વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMરાજકોટમાં ઈલેકટ્રીક સિટી બસના ડ્રાઈવરોની અચાનક હડતાલ, મુસાફરોમાં ભારે દેકારો
April 18, 2025 12:36 PMજૂનાગઢમાં અનેક ઐતિહાસિક ઈમારતો ઉપરાંત ૨૧ દુર્લભ વૃક્ષોનો વારસો
April 18, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech