રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સોમવારે શેર બજાર બંધ, NSE દ્વારા કરવામાં આવી સત્તાવાર જાહેરાત

  • January 19, 2024 10:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સોમવારે શેર બજાર બંધ રહેશે. NSE દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમજ આવતીકાલે સ્પેશિયલ લાઈવ સેશન યોજાશે.


આવતીકાલે એટલે કે 20 જાન્યુઆરીને શનિવારના રોજ માર્કેટ રેગ્યુલર 9.15 થી 3.30 સુધી ચાલુ રહેશે.જ્યારે સોમવારે 22 જાન્યુઆરીએ બજાર બંધ રહેશે. 


શેર બજારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગાવન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ દિવસે દેશના શેરબજારો બંધ રહેશે. લોકોની મૂંઝવણ દૂર કરતા આ મામલે નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા ચોખવટ કરાઈ છે કે 22 જાન્યુઆરી 2024ના રોજ શેરબજાર બંધ રહેશે. આ મામલે NSE દ્વારા પરિપત્ર જાહેર કરીને સત્તાવાર વિગતો પ્રસિદ્ધ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application