જસદણ તાલુકાના સાણથલી ગામે ગઈકાલે પરિણીતાના આપઘાત પ્રકરણમાં માવતરના પતિ સહિતના સામે આક્ષેપોના પગલે પોલીસે પરિણીતાને મરવા મજબુર કરવા બદલ કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતા મૃતકની માતા વિજયાબેન મોહનભાઇ રાઠોડની ફરિયાદ પરથી મૃતકના પતિ વિપુલ ઉર્ફે અનિલ કાનાભાઇ પરમાર, સસરા કાનાભાઇ, સાસુ નિમુબેન, દિયર કલ્પેશ ઉર્ફે જીગો, મંગાભાઇ રૂડાભાઈ પરમાર અને તેની પત્ની શારદાબેન સામે બીએનસીની કલમ 108,54 મુજબ ગુનો નોંધ્યો છે.
મૃતકના માતા વિજયાબેનને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સંતાનમાં બે દીકરી એક દીકરો છે જેમાં નાની દીકરી સુધા હતી જેના લગ્ન પાંચેક વર્ષ પહેલા સાણથલી ગામે રહેતા વિપુલ ઉર્ફે અનિલ કાનાભાઇ પરમાર સાથે થયા હતા જેને સંતાનમાં એક દીકરો છે. મંગળવારે હું ઘરે હતી ત્યારે દીકરીના સાસરિયા પક્ષના બે વ્યક્તિઓ ઇકોકાર લઈને ઘરે આવ્યા હતા અને મને કહ્યું હતું કે, તમારી દીકરી સુધાએ ગળાફાંસો ખાઈ લીધો છે. વાત સાંભળી પરિવારજનોને જાણ કરતા બધા સાણથલી હોસ્પિટલએ પહોંચતા દીકરીનો મૃતદેહ પીએમ રૂમએ રાખવામાં આવ્યો હતો. દીકરીને મારી નાખ્યાની શંકા લાગતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું છે, દીકરીના લગ્ન થયા ત્યારથી પતિ વિપુલ સાસુ નિમુબેન, સસરા કાનાભાઇ, દિયર કલ્પેશ વિપુલનો નાનો ભાઈ મંગા રૂડાભાઈ પરમાર અને તેની પત્ની શારદાબેન દીકરી સાથે અવાર નવાર કામ બાબતે મેણાંટોણાં મારી, ઝગડાઓ કરી પૈસાની માગણી કરી રિસામણે અમારા ઘરે મોકલી દેતા હતા. દીકરીનો ઘર સંસાર સારી રીતે ચાલે એ રીતે અમે સમાધાન કરીને પરત મૂકી આવતા હતા. ગત તા.14-9ના હું દીકરીના ઘરે ગઈ ત્યારે મને સુધાએ વાત કરી હતી કે, પતિ, સાસુ,સસરા અને દિયર બધા બહુ દુ:ખ ત્રાસ આપે છે. આમ દીકરીએ બધાના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ મરવા મજબુર થઇ હતી. બનાવ અંગે પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech