Odisha Train Accident: બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને PM મોદી એક્શનમાં, બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

  • June 03, 2023 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 લોકોના મોત થયા છે, જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. ભારત સરકારના સૂત્રોએ આ માહિતી આપી છે.



ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 900ને વટાવી ગઈ છે. વાસ્તવમાં શુક્રવારે સાંજે એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેનના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં ત્રીજી માલગાડી પણ સામેલ હતી.


આ પહેલા પીએમ મોદીએ બાલાસોર ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં વળતરની જાહેરાત કરી હતી. પીએમઓ અનુસાર, મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાનું વળતર મળશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાનું એક્સ-ગ્રેશિયા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application