ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 238 લોકોના મોત થયા છે, જ્યારે 900 લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે. ભારત સરકારના સૂત્રોએ આ માહિતી આપી છે.
ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 900ને વટાવી ગઈ છે. વાસ્તવમાં શુક્રવારે સાંજે એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેનના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં ત્રીજી માલગાડી પણ સામેલ હતી.
આ પહેલા પીએમ મોદીએ બાલાસોર ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સિવાય પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં વળતરની જાહેરાત કરી હતી. પીએમઓ અનુસાર, મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાનું વળતર મળશે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાનું એક્સ-ગ્રેશિયા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech