પાલીતાણાની જાદવ બહાર આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણમાસની ઉજવણી કરાઈ

  • September 06, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોષણ માહની ઉજવણીના ભાગરૂપે આજે ભાવનગરના પાલીતાણા તાલુકાના ભીલવાસ, વણકર વાસ ૧-૨ હાટકેશ્વર, મોમાઇ ધામ અને દેવીપૂજક કેન્દ્રોએ જાદવ બહાર આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરી હતી.
સી.ડી.પી.ઓ. અલ્પાબેન મકવાણા તેમજ વડીયા,વાળુકડ અને નોઘણવદર સેજાના મુખ્ય સેવિકાઓએ ગૃહ મુલાકાત, આરોગ્ય,આયુર્વેદિક ઔષધિ, યોગ અને યોગનું  મહત્વ અને તેનાથી થતા ફાયદા, પોષણ આહાર વિષે તેમજ લાભાર્થીઓને ટી.એચ.આર માંથી બનતી વિવિધ વાનગીઓ કઈ રીતે બનાવી શકાય તે અંગેની માહિતી આપી હતી.  આ અવસરે જાદવ બહાર આંગણવાડી કેન્દ્ર ખાતે વાનગીઓનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application