હવે અનંત-રાધિકાના લગ્નમાં ગૂંજશે સંસ્કૃતના શ્લોકોની મહેફિલ

  • July 08, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ સોશિયલ મીડિયા પર રાધિકા અને અનંતની સંગીત સેરેમનીમાંથી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. લોકો આ લગ્નની નવી નવી અપડેટ જાણવા માંગે છે. હવે લગ્નને લઈને વધુ એક અપડેટ સામે આવી છે, જેના અનુસાર રાધિકા-અનંતના લગ્નના દિવસે ભારતીય સિંગર્સ લાઈવ પરફોર્મન્સ આપશે.
અહેવાલો અનુસાર, રાધિકા-અનંતના લગ્નના દિવસે, ઘણા પ્રખ્યાત બોલિવૂડ ગાયકો તેમના સુરીલા અવાજો સાથે લાઈવ પર્ફોમન્સ આપશે. આ લિસ્ટમાં સોનુ નિગમ, હરિહરન, શ્રેયા ઘોષાલ, કૌશિકી ચક્રવર્તી અને શંકર મહાદેવનનો સમાવેશ કરાયો છે.
સંગીત સેરેમનીમાં હિપ-હોપ મ્યુઝિક બાદ હવે લગ્નના દિવસે સંસ્કૃત ભાષામાં શ્લોક ગાવામાં આવશે અને ભગવાનની ભક્તિના ગીતો પણ ગાવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર આ તમામ ગીતો કમ્પોઝ કરવાની જવાબદારી મ્યુઝિક ડાયરેક્ટર જોડી અજય-અતુલ પર છે.
અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પહેલાના ફંક્શનમાં અંબાણી પરિવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. બે પ્રિ-વેડિંગ બાદ હાલમાં જ સંગીત સેરેમનીને કારણે અંબાણી પરિવાર ચર્ચામાં હતો. આ ખાસ અવસર પર દરેક લોકો અલગ-અલગ લુકમાં જોવા મળ્યા હતા. અનંતે સોનાથી જડેલા કપડા પહેર્યા હતા, જ્યારે રાધિકાએ હીરા જડેલા કપડાં પહેર્યા હતા. સંગીત સેરેમનીમાં હોલીવુડ પોપ સ્ટાર જસ્ટિન બીબરે ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું. જેના પણ ઘણા વિડીયો વાયરલ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application