ગાંધીધામના વકિલ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર પાઠવી ડીએ ઝેડ વિસ્તારમાં સર્વિસ રોડમાં નાગરિક દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
એડવોકેટ જયેશ સોલંકીએ પાલિકાના ચીફ ઓફિસરને પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે ગાંધીધામ, આદિપુર શહેરના રોડ નગરપાલિકા હસ્તક આવે છે. રોડની દેખરેખ અને દબાણ દૂર કરવાની જવાબદારી અધિકારીની છે. આદિપુર શહેરમાં ડી એ ઝેડ-૮૫ વિસ્તારમાં જતાં માર્ગમાં સર્વિસ રોડ બનાવેલ છે આ આંતરિક રોડમાં એક મકાન ધારક દ્વારા તેમના મકાનના પાછળના ભાગે ગેર કાયદેસર દબાણ કરી દીધું છે. જેને લઈને આ વિસ્તારમાં પાછળ વાળી ગલીમાં રહેતા લોકોને પસાર વાથી પરેશાનીનો સામનો કરવો પડે છે. વ્હિકલ પણ ચલાવી ન શકાય તેવી પરિસ્થિતિ હોય તાકીદે આ બાબતે કાર્યવાહી કરવા માગણી કરી છે. આ કામગીરીમાં નિષ્ફળતા મળશે તો સીઆરપીસી ની કલમ ૧૩૩ હેઠળ ફરિયાદ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech