અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશથી લોકો આ ભવ્ય ઉત્સવમાં સામેલ થવા આવી રહ્યા છે. આ સંજોગોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તથા ટ્રાફિક પણ કંટ્રોલમાં રહે તે માટે શુક્રવાર મધ્યરાતથી જ આમંત્રિત સિવાયના લોકો પર પ્રવેશ બંધી લાદવામાં આવી છે. જો કે ત્યાંના સ્થાનિક લોકો છે તેમને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે.
આ સાથે ટ્રાફિક ડાયવર્ઝન પણ લાગુ કરાયું છે ડાયવર્ઝનને કારણે લખનૌ, ગોંડા, બસ્તી,આંબેડકરનગર, સુલતાનપુર, અમેઠીથી અયોધ્યા તરફ આવતા વાહનોને અલગ–અલગ માર્ગેા દ્રારા તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવામાં આવશે. અયોધ્યામાં ત્રણ દિવસ સુધી બહારના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
રામ લલ્લાના અભિષેક કાર્યક્રમ બાદ લખનૌ અને અયોધ્યા વચ્ચે દરરોજ ૮૦ બસો ચલાવવામાં આવશે. તેનાથી અંદાજે ૪૦ હજાર શ્રદ્ધાળુઓને રાહત મળશે. બસ સ્ટેન્ડ પરથી દર ૨૦ મિનિટના અંતરે મુસાફરો માટે બસો ઉપલબ્ધ રહેશે. તાજેતરમાં જ રોડવેઝ એડમિનિસ્ટ્રેશને કૈસરબાગ અને અયોધ્યા વચ્ચે એસી જનરથ બસો ચલાવવાની શઆત કરી છે. ૨૨ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિા પછી, રોડવેઝ ભકતો માટે લખનૌ અને અયોધ્યા વચ્ચે ૮૦ બસો ચલાવશે આલમબાગ, ચારબાગ, કૌસરબાગ અને અવધ બસ સ્ટેશનથી અયોધ્યા સુધી નિયમિત બસ સેવા ચાલશે. રામ લલ્લાના અભિષેક બાદ અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થવાની આશાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન આસ્થા ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહ્યું છે. આસ્થા મેમુ ટ્રેન ગોમતીનગર અને ચારબાગથી અયોધ્યા સુધી ચલાવવામાં આવશે. એવી અપેક્ષા છે કે આ ટ્રેનો ૨૫ જાન્યુઆરી થી શ થઈ શકે છે.
અયોધ્યાના મહત્વને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવે અયોધ્યા કેન્ટ, અયોધ્યા ધામ, સાલારપુર અને દર્શનનગર બનાવી રહી છે યારે ઉત્તર પૂર્વ રેલવે રામઘાટ સ્ટેશનને અત્યાધુનિક બનાવી રહી છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આસ્થા ટ્રેન બે પ્રકારની હશે. અયોધ્યાની આસપાસના જિલ્લાઓમાંથી આસ્થા મેમુ ટ્રેનો દોડાવવામાં આવશે. ઉદાહરણ તરીકે, આસ્થા મેમુ ટ્રેનો લખનૌ, પ્રયાગરાજ, વારાણસી વગેરે સ્થળોએથી ચલાવવામાં આવશે. આ માટે ૧૦ ટ્રેનો ઉપલબ્ધ રહેશે.
તે જ સમયે, લાંબા અંતરની આસ્થા ટ્રેનો દક્ષિણ ભારત, દિલ્હી, મુંબઈ, જયપુર, અમદાવાદ વગેરે સ્થળોએથી દોડશે, જેમાં સ્લીપર અને એસી કોચ હશે. અયોધ્યા પહોંચવા માટે દેશભરમાંથી આવી અંદાજે ૩૦૦ જેટલી ટ્રેનો દોડશે. .
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર અયોધ્યા માટે ૩૨ જોડી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. તેમાંથી લગભગ ૨૫ હજાર મુસાફરો મુસાફરી કરે છે. પ્રાણ પ્રતિા પછી મુસાફરોની સંખ્યા ૭૫ હજારથી વધીને એક લાખ થઈ શકે છે. આવી સ્થિતિમાં ટ્રેનોની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. બે વંદે ભારત, એક અમૃત ભારત ટ્રેન શ કર્યા બાદ હવે આસ્થા ટ્રેનો અયોધ્યા સાથે જોડાશે. જેનાથી શ્રદ્ધાળુઓને વાહનવ્યવહારમાં સુવિધા મળશે.
મહત્વનું છે કે લખનૌ સહિત દેશભરમાંથી અયોધ્યા સુધી આસ્થા ટ્રેન દોડાવવાની છે. પરંતુ, આ અંગે રેલવે બોર્ડે હજી લીલી જંડી આપી નથી તે મળતા જ ટ્રેનો પાટા પર દોડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech