અરવિંદ કેજરીવાલને સીએમ પદેથી હટાવવા HCમાં નવી અરજી, શરાબ કૌભાંડમાં EDએ કરી છે ધરપકડ

  • March 29, 2024 11:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે હાઈકોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજીને ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે અમારે રાષ્ટ્રપતિ કે એલજીને કોઈ માર્ગદર્શન આપવાની જરૂર નથી.


એક્સાઈઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હટાવવાની માગણી સાથે દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. અરજદાર હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ તેમની અરજીમાં માંગ કરી છે કે, કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હીના મુખ્ય સચિવને ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર દિલ્હી સરકારના કામકાજ માટે બંધારણની યોજના અમલમાં મૂકવાના આદેશો જારી કરવા જોઈએ.


અગાઉ પણ અરજી કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે હિન્દુ સેનાના કથિત રાષ્ટ્રીય અધ્યક્ષ સુરજીત સિંહ યાદવે પણ કેજરીવાલના રાજીનામાને લઈને પીઆઈએલ દાખલ કરી હતી. જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ખાસ વાત એ છે કે આ પહેલા ગુરૂવારે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application