નવાસાંગાણા ગામે વાડીમાં ઘૂસેલા દીપડાનો પાડી પર હુમલો

  • September 10, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા પંથકમાં દીપડા સહિત રાની પશુનો ત્રાસ યથાવત રહ્યો છે. હજુ થોડા દિવસ પૂર્વે તળાજાના નવી કામરોળ ગામની સિમની એક વાડીમાં ઘૂસેલા દીપડાએ વાછરડીનું મારણ કર્યાની ઘટના તાજી જ છે. ત્યાં તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ઘૂસેલા દીપડાએ પાડી પર હુમલો કર્યો હતો. જો કે અવાજ થતા વાડી માલિક દોડી આવતા દીપડો ભાગ્યો હતો.
ભાવનગર જિલ્લાના ગીર પંથકની પડોશમાં આવેલા તળાજા, ગારિયાધાર, પાલીતાણા તેમજ જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા સહિત રાની પશુઓનો ત્રાસ યથાવત રહ્યો છે. ખાસ કરીને તળાજા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં રાની પશુઓ દ્વારા મારણ કરવાની ઘટના વારંવાર બનતી હોય માલધારીઓ, ખેડૂતો સહિત ગ્રામજનો સતત ભયના ઓથાર હેઠળ રહેતા હોય છે. હજુ થોડા દિવસ પૂર્વે જ તળાજાના નવી કામરોળ ગામની સીમમાં આવેલી એક વાડીમાં ઘૂસેલા દીપડાએ વાછરડીનું મારણ કર્યાની ઘટના તાજી છે. ત્યાં તળાજા તાલુકાના નવાસાંગાણા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ઘૂસેલા દીપડાએ પાડી પર હુમલો કર્યો હતો. જોકે અવાજ થતા વાડીમાં સુતેલા ખેડૂત દોડી આવતા દીપડો ભાગી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application