ભગવાન શ્રી દ્વારકાધીશ સમક્ષ શીશ નમાવતા નરેન્દ્રભાઇ મોદી

  • February 26, 2024 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાને શારદાપીઠમાં શ્રી શંકરાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા: જગતમંદિરમાં પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવતા વડાપ્રધાન: વડાપ્રધાને ગોમતી તટે સુદામા સેતુની પણ મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આવકારવા આજે જગત મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાને દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત વિધિપૂર્વક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પાદુકાપૂજન કરાવ્યું હતું.
વડાપ્રધાને શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાને શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શારદાપીઠમાં વડાપ્રધાન નું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાને મંદિરમાં દર્શનાર્થીઓ- શ્રદ્ધાળુઓનું  અભિવાદન ઝીલ્યુ હતું.
વડાપ્રધાને મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજ કુમાર, જિલ્લા પંચાયતના નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, લૂણાભા સુમણીયા, જે.કે. હાથિયા, વનરાજભા માણેક, સંજયભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, રાજુભાઈ સરસીયા, કરશનભાઈ જોડ, ધીરુભાઈ, મેઘજીભાઈ પિપરોતર સહિતનાએ આવકાર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application