નાયબ સિંહ સૈની બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે સમગ્ર કેબિનેટે રાજીનામું આપ્યું, બીજેપી-જેજેપી ગઠબંધન તૂટ્યું: મનોહર લાલને લોકસભા ચૂંટણીમાં કરનાલ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે: આજે જ શપથ ગ્રહણ સમારોહ
હરિયાણાની રાજનીતિમાં આજે મોટો ફેરબદલ જોવા મળ્યો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી હશે. તેઓ આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે અને તેમની સાથે મંત્રીમંડળે પણ રાજીનામું સોંપી દીધું છે ત્યારે અપક્ષ ધારાસભ્યો ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે. આ સાથે ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)નું ગઠબંધન તૂટી ગયું છે. સુત્રોના જણાવ્યા મુજબ મનોહર લાલને લોકસભા ચૂંટણીમાં કરનાલ સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બીજેપી હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે. આજે ચંદીગઢમાં ભાજપના ધારાસભ્યો સાથે અપક્ષ ધારાસભ્યોની બેઠકમાં ગઠબંધનમાં સામેલ જેજેપી ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
જેજેપીના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે: અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન
લોકસભા ચૂંટણીમાં ગઠબંધન ન થયા બાદ ભાજપ દુષ્યંત ચૌટાલાને સતત આંચકો આપી રહી છે. હવે દુષ્યંત ચૌટાલા સરકારમાંથી બહાર છે. તેમની પાર્ટીમાં ભાગલા થવાની અટકળો ચાલી રહી છે. જેજેપીના દેવેન્દ્ર બબલી સહિત 5-6 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. હરિયાણાના સિરસાના ધારાસભ્ય અને લોકહિત પાર્ટીના અધ્યક્ષ ગોપાલ કાંડાએ કહ્યું કે હું માનું છું કે ભાજપ અને જેજેપી ગઠબંધન તૂટી ગયું છે. જેજેપી વિના પણ હરિયાણામાં સરકાર રહેશે. તમામ અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપવાનું ચાલુ રાખશે.
હરિયાણા વિધાનસભાનું ગણિત શું છે?
હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો છે. આ 90 બેઠકોમાંથી 41 ભાજપ પાસે છે. કોંગ્રેસ માટે 30 બેઠકો, ઈન્ડિયન નેશનલ લોકદળને 10, હરિયાણા લોકહિત પાર્ટીને એક અને છ અપક્ષો બેઠકો છે. હરિયાણામાં બહુમત માટે 46 ધારાસભ્યોની જરૂર છે. હરિયાણામાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તે ચૂંટણીમાં ભાજપને 41 જ્યારે જેજેપીને 10 બેઠકો મળી હતી.
કેમ તૂટ્યું ગઠબંધન?
હરિયાણામાં બીજેપી અને દુષ્યંત ચૌટાલની પાર્ટી જેજેપી વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે દુષ્યંત ચૌટાલાની પાર્ટી લોકસભા ચૂંટણીમાં 2 સીટોની માંગ કરી રહી હતી. ભાજપ નેતૃત્વ એક બેઠકની ઓફર સ્વીકારવા તૈયાર હતું. પરંતુ દુષ્યંત 2 સીટો પર અડગ હતા. જ્યારે ભાજપનું રાજ્ય નેતૃત્વ 10 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે, કારણ કે તેની પાસે તમામ બેઠકો પર સાંસદો છે. આવી સ્થિતિમાં બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech