ફોદાળા ડેમ પાસે મોટીમાત્રામાં બકરીઓના નીપજ્યા ભેદી મોત?!

  • September 26, 2024 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના બરડા ડુંગરમાં મોટીમાત્રામાં માલધારીઓ વસવાટ કરે છે અને તેમના પશુઓનું પાલન કરીને પોતાનું જીવન ગુજારે છે.બિલેશ્વર નજીક આવેલા ફોદાળા ડેમ વિસ્તારમાં પણ અનેક માલધારીઓ પશુઓને ઉછેરીને આજીવિકા મેળવી રહ્યા છે.ત્યારે ફોદાળા ડેમના કાંઠા વિસ્તારમાં મોટીમાત્રામાં બકરીઓના મૃતદેહના અવશેષો અને હાડપિંજર જોવા મળ્યા છે.શું આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓમાં કોઈ ભેદી રોગચાળો ફેલાયો છે તેના કારણે તેઓના સામુહિક રીતે મૃત્યુ થયા છે? કે પછી દીપડા જેવા જંગલી પ્રાણીઓએ તેમને ફાડી ખાધી છે? કે અન્ય કોઈ કારણોસર બકરીઓના મૃત્યુ થતા અહીંયા આ મૃતદેહને ફેંકી જવાયા છે? તે અંગે પશુપાલન વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરવી જરૂરી બની જાય છે.(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application