તહવ્વુર રાણાને કાલે તેની કસ્ટડી માટે એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તહવ્વુર રાણા વિરુદ્ધ દિલ્હીમાં એનઆઈએનો કેસ નોંધાયેલો છે. તેથી, રાણાને પહેલા દિલ્હી લાવવામાં આવશે અને અહીં એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પછીથી તેની કસ્ટડી લેશે.
યુએસ કોર્ટના સૂચનો મુજબ, દિલ્હી અને મુંબઈની જેલોમાં ગુપ્ત રીતે તહવ્વુર રાણા માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે ભારત લાવ્યા પછી, રાણાને શરૂઆતના થોડા અઠવાડિયા રાષ્ટ્રીય તપાસ એજન્સીની કસ્ટડીમાં રાખવામાં આવશે. આ સમગ્ર કામગીરી અજિત ડોભાલ, એનઆઈએ અને ગૃહ મંત્રાલયના કેટલાક ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ થઈ રહી છે.
અગાઉ, યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. ૨૬/૧૧ મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી.
રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં.
રાણાએ યુએસ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યું હતું કે પાકિસ્તાની મૂળના મુસ્લિમ હોવાને કારણે તેમને ભારતમાં ખૂબ હેરાન કરવામાં આવશે. હ્યુમન રાઇટ્સ વોચ 2023 વર્લ્ડ રિપોર્ટ કહે છે કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર વધુને વધુ સરમુખત્યારશાહી બની રહી છે અને જો ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે તેના પૂરતા કારણો છે.
તહવ્વુર રાણાએ કહ્યું હતું કે તે ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તે પાર્કિન્સનથી પણ પીડાય છે. તેમને એવી જગ્યાએ ન મોકલવા જોઈએ જ્યાં તેમને રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક આધાર પર નિશાન બનાવવામાં આવે.
તહવ્વુર રાણાનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. તેમણે આર્મી મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 10 વર્ષ સુધી પાકિસ્તાન આર્મીમાં ડૉક્ટર તરીકે કામ કર્યું. પરંતુ તેહવુર રાણાને તેમનું કામ ગમ્યું નહીં અને તેમણે આ નોકરી છોડી દીધી. ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ તહવ્વુર રાણા હાલમાં કેનેડિયન નાગરિક છે. પરંતુ તાજેતરમાં જ તે શિકાગોનો રહેવાસી હતો, જ્યાં તેનો વ્યવસાય છે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર, તેમણે કેનેડા, પાકિસ્તાન, જર્મની અને ઇંગ્લેન્ડમાં પ્રવાસ કર્યો છે અને રહ્યા છે અને લગભગ 7 ભાષાઓ બોલી શકે છે. કોર્ટના દસ્તાવેજો દર્શાવે છે કે 2006 થી નવેમ્બર 2008 સુધી, તહવ્વુર રાણાએ પાકિસ્તાનમાં ડેવિડ હેડલી અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. આ સમય દરમિયાન, તહવ્વુર રાણાએ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને હરકત ઉલ જેહાદ એ ઇસ્લામીને મદદ કરી અને મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મદદ કરી. આ કેસમાં આતંકવાદી હેડલી સરકારી સાક્ષી બન્યો છે.
26 નવેમ્બર 2008 ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર આતંકવાદી હુમલો થયો હતો. આ આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવા માટે, 200 એનએસજી કમાન્ડો અને 50 આર્મી કમાન્ડો મુંબઈ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ત્યાં પાંચ સૈન્ય ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી હતી. હુમલા દરમિયાન નૌકાદળને પણ એલર્ટ રાખવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય, KKRને માત્ર 95 રનમાં ઓલઆઉટ કરીને 16 રનથી જીત્યું
April 15, 2025 11:02 PMIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMઅમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ
April 15, 2025 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech