કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં માતૃ ગૌરવ દિનની ઉજવણી

  • March 05, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં તા. રર ફેબ્રુઆરીએ કસ્તુરબા નિર્વાણ દિને માતૃગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી, આ કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ કરશનભાઇ ડાંગરના સાનિઘ્યમાં સંપન્ન થયો. આ પ્રસંગે હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, કાર્યવાહક સમિતિના સભ્યો ઉપરાંત વિભાગીય વડાઓ, કાર્યકર્તાઓ, લાભાર્થીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખ કરશનભાઇ ડાંગરે ઉદ્દબોધનમાં કસ્તુરબાને રાષ્ટ્રમાતા તરીકે શા માટે ઓળખીએ છીએ તે સમજાવતા જણાવ્યું કે તેઓ ગાંધીજી સાથે રહીને  પ્રથમ મહિલા સત્યાગ્રહી બન્યા હતા, તેઓની પાસે જીવનશિક્ષણ હતું, આ પ્રસંગે સંસ્થાના કુલમાતા અને સ્થાપક મંજુલાબેન દવેની વાત કરતા મંત્રી સુચેતાબેન ભાડલાવાળાએ જણાવ્યું કે, તેમણે સમાજની દુ:ખી, શોષિત બહેનોએ સ્વમાનભેર જીવીને પુન: સ્થાપિત થઇ શકે તે માટે અનેકવિધ પ્રવૃતિઓ સંસ્થામાં વિસ્તારી છે. રાષ્ટ્રમાતા કસ્તુરબા વિશે હાઇસ્કૂલ વિભાગની ધો. ૧૦ ની વિદ્યાર્થીની કુ. તકવાણી દિયાએ પ્રસંગને અનુરુપ વાત કરી હતી.
ત્યારબાદ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રભાઇ દેસાઇને તથા ગંગાજળા વિદ્યાપીઠ અલીયાબાડાના આજીવન કર્મશીલ ઝવેરભાઇ ચાવડાને શબ્દો દ્વારા શ્રઘ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું, પ્રાર્થના સમિતિ દ્વારા માતૃત્વની વંદના કરતું સુંદર ગીત રજૂ થયું. કાર્યક્રમનું સંચાલન પાર્થ પંડ્યાએ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application