જામનગરની યુવતીએ સાસુ-સસરાના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણીએ લખેલી ચિઠ્ઠી પોલીસે કબજે કરી હતી. મૃતકના માતાએ પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર કરવા અંગે સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે સાસુ-સસરાને પાંચ વર્ષની કેદની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના પૂજાબેન ભરતભાઈ ખીમસુરીયા નામના યુવતીએ વર્ષ ૨૦૧૬માં મિતેશ શામજીભાઈ રાઠોડ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તે પછી પૂજાબેનને સાસુ પાલુબેન તથા સસરા શામજીભાઈ ખોડાભાઈ રાઠોડ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.
લગ્ન પછી ૨૧ મહિના સુધી પૂજાબેને ત્રાસ સહન કર્યો હતો. તેણીને સાસુ તથા સસરા ઘરના કામ બાબતે વાંક કાઢી મેણા મારતા હતા અને કરિયાવરમાં કંઈ લાવી નથી, મરી જા તેમ કહી ટોણા મારતા હતા. આ ત્રાસથી કંટાળીને પૂજાબેને સ્યુસાઈડ નોટ લખી પોતાના ઘરમાં ગઈ તા.૫-૫-૧૮ના દિવસે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ત્યારપછી મૃતકના માતા રંજનબેન ભરતભાઈએ પોતાની પુત્રીને ત્રાસ આપી મરી જવા માટે મજબૂર કરવા અંગે તેણીના સાસુ પાલુબેન અને સસરા શામજીભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલવા પર આવતા મૃતક પરિણીતાએ લખેલી મનાતી ચિઠ્ઠી અંગે તેણીના અભ્યાસના ચોપડામાં કરવામાં આવેલા અક્ષરો મળતા આવતા હોવાની દલીલ પણ કરાઈ હતી.
તે ઉપરાંત સરકાર પક્ષે ૧૭ સાક્ષી અને ૩૨ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સાસુ-સસરાને તક્સીરવાન ઠરાવી પાંચ વર્ષની કેદની સજા અને પાંચ હજાર નો દંડનો હુકમ કર્યો છે. આ કેસમા સરકાર તરફે વકીલ રાજેશ વશીયર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજર્મનીની ચૂંટણીમાં ઓલાફ સ્કોલ્ઝની હાર: ફ્રેડરિક મર્જ નવા ચાન્સેલર બનશે
February 24, 2025 11:26 AMમીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પ્રતિભા પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
February 24, 2025 11:25 AMઆજનું રાશિફળ : આ રાશિના લોકોએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી, ઘરમાં ધન-સમૃદ્ધિ વધતી રહેશે
February 24, 2025 11:25 AMશેરબજારમાં સુસ્તી યથાવત: સેન્સેક્સ 757 પોઈન્ટ ગગડ્યો
February 24, 2025 11:25 AMકોલિફોર્મ બેક્ટેરિયા ગંગાના પાણીમાં વિકસી જ ન શકે: વિજ્ઞાનીનો ઘટસ્ફોટ
February 24, 2025 11:23 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech