૧૨ વર્ષ પછી રાજકોટમાં યોજાશે પૂ.મોરારિબાપુની રામકથા

  • September 09, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.રામકથા ૨૩ નવેમ્બરથી શ થઈને ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૧ લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્ર્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બધા લોકો લાભ લઇ શકે. વરિ  નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પૂ. મોરારીબાપુની સમગ્રપણે ૯૪૭મી રામકથા યોજાશે. પૂ. મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે.અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.કથામાં વિદેશથી પણ  દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.
કથા દરમિયાન પર્યાવરણ જતન, જીવનમાં વૃક્ષોનું મહત્ત્વ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કથામાં જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની સેવા–ચાકરી,નવા પરિસરના નિર્માણ અને વૃક્ષારોપણ પ્રવૃતિના વિકાસ માટે વાપરવામાં આવશે. જે કોઈ કથામાં આવશે તેને તુલસી સહિતના રોપા અને ચકલીના માળા, બર્ડ ફીડરનો પ્રસાદ પણ આપવામાં આવશે. રાજકોટમાં મીની અયોધ્યા સર્જાશે.
રાજકોટમાં છેલ્લ ા ૮ વર્ષેાથી સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે જેમાં નિ:સંતાન, નિરાધાર, બીમાર ૬૦૦ વૃદ્ધો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઇ રહ્યા છે.જેમાં ૨૦૦ વડીલો તો સાવ પથારીવશ છે, ડાઇપર પર છે.વધતી જતી જરિયાતને ધ્યાનમાં લઈને રાજકોટના જામનગર રોડ પર રામપર ખાતે ૧૧ માળના ૭  નવા બિલ્ડિંગવાળા નવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે. ૩૦ એકરની જગ્યામાં આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ,પુસ્તકાલય, કસરતના સાધનો, યોગા મ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ , બાગ બગીચા સહિતની તમામ સુવિધા  પરિસરમાં  જ મળી રહેશે. આ વૃદ્ધાશ્રમમાં ૧૪૦૦ મ હશે. જેમાં  દેશભરના ૫૦૦૦ પથારીવશ,નિરાધાર વડીલોને આજીવન આશરો આપી શકાશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્રારા વૃક્ષારોપણ, જતનની પ્રવૃત્તિ પણ પૂરજોશમાં કરવામાં આવે છે. લોકોમાં વૃક્ષારોપણને લઈને જાગૃતિ આવે તે માટે પણ આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ– વિદેશથી સામાજિક અગ્રણીઓ, ઉધોગપતિ, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ, દાતાઓ, કાર્યકરો  હાજર રહેશે. સમગ્રપણે ન ભૂતો ન ભવિષ્યતિ પ્રકારનું દિવ્ય આયોજન કરવાનો પ્રયાસ છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે,સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા પર્યાવરણ સંરક્ષણ ભાગપે માત્ર વૃક્ષારોપણ જ નહી, વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવે છે, અત્યાર સુધીમાં ૩૦ લાખથી વધુ વૃક્ષોનું પીંજરા સાથે વાવેતર ગુજરાતમાં થઈ ચૂકયું છે તેમજ મીયાવાંકી જંગલોના માધ્યમથી ૭૦ લાખ વૃક્ષો સાથે ૪૦૦ ટેન્કર,૪૦૦ ટ્રેકટર અને ૧૬૦૦ માણસનો પગારદાર સ્ટાફની મહેનતથી વાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાનો,ઉછેરવાનો  સંસ્થાનો ધ્યેય છે. ગુગલ મેપ પરથી જયારે કોઈ સર્ચ કરે ત્યારે ગ્રીન ભારત દેખાવું જોઈએ.
સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા રાજકોટના જામનગર રોડ પર શ્વાન આશ્રમ પણ ચલાવવામાં આવે છે જેમાં માનવ મિત્ર અને માનવ વફાદાર એવા બિમાર, અંધ, અપંગ,અને લાચાર ૧૫૦ શ્વાનોને જીવનપયત આશ્રય–સેવા–સારવાર–સુશ્રુષા કરવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્રારા ગૌવશં બળદ આશ્રમ પણ ચલાવવામાં આવે છે.જેમાં ગામ, શહેર, હાઈવે રોડ પર બળદ છુટા,રખડતા,લાચાર,બીમાર કે વયોવૃધ્ધ અવસ્થાનાં ૧૬૦૦ અનાથ બળદોને સાચવવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્રારા દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવામાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર શ કરવામાં આવ્યો છે જેમાં 'નહિ નફો નહિ નુકસાન' ના ધોરણે લોકોને દવાઓ પર ૧૫% થી ૬૦% સુધી ડિસ્કાઉન્ટ મળે છે. આ ઉપરાંતમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્રારા પશુ, પક્ષીઓ માટેની નિ:શુલ્ક હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે કે જેનો સમગ્ર સૌરાષ્ટ્ર્ર કચ્છના જીવદયા પ્રેમીઓ લાભ લે છે. આ નિ:શુલ્ક પશુ, પક્ષી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, ડોકટર્સ, પેરા મેડિકલ સ્ટાફ,શેલટર સાહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
પૂ. મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. તેમની કથા કહેવાની શૈલી અનોખી હોય છે.પૂ.મોરારી બાપુનો જન્મ તલગાજરડા ગામમાં થયો હતો. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. મોરારિબાપુએ મે, ૧૯૬૬માં ગાંઠિલા(તા. વંથલી,જિ. ભાવનગર)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કયુ અને તે પછી તો દેશ–વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા. તેમણે કૈલાસ–માનસરોવર જઈને ત્યાં પણ કથા–પારાયણ કરેલું છે. તેમણે ૯૪૬ કથા–પારાયણ કયા છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુકત રાષ્ટ્ર્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઈ હતી તે કથામાં એઆઈ નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુકત રાષ્ટ્ર્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ.યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુ દ્રારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું.બાપુએ તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યેા હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યેા હતો


રાજકોટ બનશે રામમય
ે કથામાં આવતા તમામ શ્રાવકો માટે ગાંઠીયા, ગુંદી, ખીચડી, શાક, સંભારો, રોટલી, કઢી જેવું એકસરખુ ભોજનમહાપ્રસાદ પીરસવાનો વિચાર.
ે રાજકોટના હાર્દસમા રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સદભાવના વૃધ્ધાશ્રમના યજમાનપદે રામકથાનું ભવ્યદિવ્ય આયોજન થઈ રહયું છે. સર્વે ધર્મ, સર્વે  જ્ઞાતીના સમાજોને 'એક થવાનો અવસર'.
ે વિદેશથી ખાસ રામકથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે તેમજ આમંત્રિત મહેમાનો સહિતનાં ૧૦,૦૦૦ રામકથા પ્રેમીઓ માટે રહેવા, જમવાની વ્યવસ્થા પણ આયોજકો દ્રારા કરવાનો પ્રયાસ થશે.
ે આયોજનનું ગ્રાન્ડ રીર્હસલ પણ થશે, રામકથાનાં તમામ સ્વયંસેવકોને ઓળખપત્ર અપાશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે.
ે ૪૦૦૦થી વધ ુસ્વયંસેવકો ખડેપગે રહેશે.
ે થેલેસેમીયા મુકત સમાજ' બની શકે તે માટે કથામાં ઐતિહાસીક વ્યવસ્થા, પધારેલા તમામ કથા ભાવિકોને થેલેસેમીયા, રકતદાન અંગેની માહિતી અપાશે, મેગા રકતદાન કેમ્પ દરરોજ યોજાશે.
ે સમગ્ર કથા મંડપને સીસીટીવી કેમેરા, હાઈ સીકયુરીટી, વિમા કવચ તથા ન્યુઝ ચેનલોમાં જીવતં પ્રસારણ કરાશે.
ે એક જ સમયે, એકજ સ્થળે એક સાથે તમામ વર્ગસ્તરના આબાલ વૃધ્ધ, ગરીબતવંગર સૌ કથા શ્રાવકો માટે 'હરહીર' નું આયોજન
ે ૨૫ કિલોમીટર લાંબી એવી'ભવ્ય આમંત્રણ રેલી'નું આયોજન કરાશે.
ે રામકથાનું કાર્યાલય ટૂંક સમયમાં શ કરાશે
ે રામકથામાં વ્યસન મુકિત અભિયાન પણ થશે, હજારો લોકો  વ્યસન મુકત બનશે.
ે ચક્ષુદાન, દેહદાન, અંગદાન,શાકાહાર,ગૌસેવા–જીવદયાનાં સંકલ્પ પત્રો લોકો ભરશે.
ે સદભાવના વૃધ્ધાશ્રમ,'પીપળીયા ભવન', સ્વામીનારાયણ ગુકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડીમાર્ટ વાળી શેરી, રાજકોટ–૩૬૦૦૦૪.
ે સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા.૨૩નવેમ્બર૨૦૨૪થીતા. ૦૧ડીસેમ્બર–૨૦૨૪સુધીરેસકોર્સગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.૯૬૬૪૮૫૧૭૩૮ પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે


ધૂમાડાબધં રાજકોટ પ્રસાદી લે તેવી વ્યવસ્થા

તા.૨૩, નવેમ્બર૨૦૨૪થી તા.૦૧, ડીસેમ્બર–૨૦૨૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાનાર રામકથાને તેમજ સદભાવના વૃધ્ધાશ્રમ સંસ્થા પરિવારને  હિંદુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્ર્રીય સંયોજક પ. પૂ પરમાત્માનદં સરસ્વતીજીનાં સતત આશીર્વાદ, માર્ગદર્શન મળી રહ્યા છે. ઉલેખનીય છે કે,પ.પૂ પરમાત્માનદં સરસ્વતીજી સદભાવના વૃધ્ધાશ્રમના માર્ગદર્શક, સંરક્ષક તરીકે સેવા આપી રહયા છે.પતંજલિ વિધાપીઠનાં યોગગુ પૂ.બાબા રામદેવ,રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના ડો.મોહન ભાગવતજી, વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્ર્રીય અધ્યક્ષ આલોક કુમારજી,ગાયત્રી પરિવારનાં ડો. ચિન્મય પંડાજી,ગીતામનીષી પુ.જ્ઞાનાનંદજી મહારાજ સહિતનાં સંતો,મહંતો,જાહેર જીવનનાં અગ્રણીઓ,વૈશ્વિક શ્રે ીઓ,દાતાઓ ઉપસ્થિત રહેવાના છે.રાજકોટ ખાતે ભજન,ભોજન અને સેવાની ત્રિવેણી સમુ ધામ નિર્માણ થવાનું છે.૨૩ નવેમ્બરે તારીખે પોથીયાત્રા નીકળશે. સમગ્ર રામકથામાં રાજકોટ ધૂમાડાબધં પ્રસાદ લે તેવી પણ આયોજકોની વિનમ્ર ભાવના છે.સમગ્ર કથાનું જીવતં પ્રસારણ દેશ વિદેશની અનેક ચેનલોમાં , સોશ્યલ મીડિયામાં થશે જેથી દેશ વિદેશનાં કરોડો લોકો આ કથા શ્રવણનું લાભ લઇ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application