કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ભંડારિયાના આધેડનુ મોત

  • April 14, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર-મહુવા હાઈ-વે પર ભંડારિયા ગામ પહેલા વેલનાથના બોર્ડ પાસે રાતના સમયે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ભંડારિયાના આધેડનુ કરૂણ મોત નિપજ્યુ હતુ. જેમાં કાર ચાલક સામે વરતેજ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ભંડારિયા ગામે રહેતા લાભુભાઈ વલ્લભભાઈ ઘોરી (ઉ.૫૦) રાતના સાડા આઠેક વાગ્યે ઘરેથી તેની વાડીએ બાઈક લઈને જઈ રહ્યા હતા. એ સમયે તેઓ હાઈવે પર ભંડારિયા પહેલા વેલનાથના બોર્ડ પાસે પહોંચતા સામેથી પૂર ઝડપે આવેલી રહેલી કાર નં. જીજે ૦૧ એચડબ્લ્યૂ ૮૯૯૯ સાથે અકસ્માત સર્જાયો હતો, ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં અકસ્માતમાં લાભુભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, બંને વાહનોને પણ નુકસાન થયુ હતુ. ૧૦૮ મારફત લાભુભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબે તપાસ કરીને મૃત્યુ નિપજ્યાનુ જાહેર કર્યુ હતુ.
આ અકસ્માત મામલે ઈનોવા કારના ચાલક સામે મૃતકના કાકાના દિકરા રમેશભાઈ ઘોરીએ વરતેજ પોલીસે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application