ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આજેે પ્રદેશ કાયર્લિય ખાતે એક વિસ્તૃત બેઠક યોજાવા જઇ રહી છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે નવી દિલ્હી જવા રવાના થયા છે. વડપ્રધાન મોદીએ 23 વર્ષ અગાઉ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને રાજ્યના વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. એ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી શરૂ કરી છે. તેના ભાગરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હી જઇ વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવશે અને વિકાસ સપ્તાહના કાર્યક્રમો અંગે વડાપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે. જોકે, બપોર બાદ મુખ્યમંત્રી દિલ્હીથી પરત ફરનાર છે.ાવવાના લક્ષ્યાંક સામે હજુ માંડ 95 લાખ જ સભ્યો બની શક્યા છે તેને લઇને નેતૃત્વમાં ખાસ્સી નિરસતા જોવા મળી છે.
અત્યાર સુધીના ઇતિહાસમાં વિક્રમી 159 બેઠકો પર જીત હાંસલ હતી અને 2024 લોકસભામાં 26માંથી 25 બેઠકો પર જીત હાંસલ કરનાર ભાજપ્ને આ વખતે પોતાના અગાઉના સદસ્યતા અભિયાન જેટલો પણ પ્રતિસાદ મળ્યો નથી. 2019માં 1.19 કરોડ જેટલા સભ્યો નોંધાયા હતા. જ્યારે 2022 અને 2024માં ભાજપ્ને લગભગ 3 કરોડ જેટલા મત પ્રાપ્ત થયા હતા. 2021માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 90 ટકા બેઠકો પ્રાપ્ત થઇ હતી. આમ છતાં આ વખતે સદસ્યતા અભિયાનમાં સાનુકૂળ પ્રતિસાદ પ્રાપ્ત થયો નથી. આને પગલે પ્રમુખે અનેક જૂના જોગીઓને પણ મંગળવારની બેઠકમાં ખાસ હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું છે. સપ્ટેમ્બરના આરંભમાં પ્રમુખ પાટીલે લક્ષ્યાંક આપ્યો હતો કે જે જનપ્રતિનિધિઓ છે એમણે પોતાને મળેલા મત જેટલા સભ્યો બને એવા પ્રયાસો કરવા જોઇએ. એના માટે સદસ્યતા અભિયાન સંભાળતા કાર્યકરો સાથે જનપ્રતિનિધિઓએ પણ સામેલ થવાનું રહેશે. પ્રમુખ પાટીલે પેજ કમિટીના સભ્યોને પણ સભ્ય બનાવવા સૂચન કર્યું હતું. એ શહેરી વિસ્તારોમાં કારગત નીવડ્યું નથી.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે કમલમ ખાતે વર્તમાન ધારાસભ્ય અને જુના જોગીઓને બોલાવવામાં આવ્યા છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યોને નોંધણી ને વેગ આપવા પણ જુવાર આપવામાં આવ્યું હતું. બીજી બાજુ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કયા કારણોસર દિલ્હી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech