સૌરાષ્ટ્ર યુનિ.ના પદવીદાન સમારોહમાં મેયર નયનાબેનને સ્ટેજ પર સ્થાન ન મળતા નીકળી ગયા, જાણો શું કહ્યું

  • March 04, 2025 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજકોટ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નયનાબેન પેઢડીયાને પણ આમંત્રિત કરાયા હતા. પરંતુ, મેયર જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ત્યાં તેમના માટે કોઈ બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. મેયરે કહ્યું હતું કે, આ ગંભીર ભૂલ હોવાથી યુનિવર્સિટીના સત્તાધીશોએ આવી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કાર્યક્રમમાં સ્થાન ન મળતા વિવાદ છેડાયો છે.


મારા માટેની કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ માટે મને એક સપ્તાહ પહેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે હું સમારોહમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચી હતી. પરંતુ ત્યાં મારા માટેની કોઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જે જોઈને હું ત્યાંથી પરત આવી ગઈ હતી. આ દરમિયાન મને ત્યાં રજિસ્ટ્રારની ખાલી સીટ ઉપર બેસવા કહેવામાં આવ્યું હતું. પરંતુ મેયર તરીકે અન્ય કોઈની સીટ ઉપર બેસવું યોગ્ય નહીં હોવાથી હું ત્યાંથી ચાલી આવી હતી. 


આવું ઇરાદાપૂર્વક થયું હોય તેવું મને લાગતું નથી
વધુમાં જણાવ્યું હતું કે, જોકે આવું ઇરાદાપૂર્વક થયું હોય તેવું મને લાગતું નથી. પરંતુ જેને બેઠક વ્યવસ્થા સોંપવામાં આવી હોય તેની આ ભૂલ થઇ હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ બાબત કોઈને રજુઆત કરવા જેવું મને લાગતું નથી. પણ આ એક ગંભીર ભૂલ હોવાથી યુનિવર્સિટીનાં સત્તાધીશોએ આવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેવી મારી અપીલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application