અગ્નિકાંડ ઇફેકટ: રાજકોટ મનપામાં ગમે ત્યારે બદલીના સામૂહિક ઓર્ડર

  • June 07, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીની ૮૨ દિવસ લાંબી આચારસંહિતા આજે પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકામાં આજથી ફરી નવા વિકાસકામોનો ધમધમાટ શ થયો છે, જો કે ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડના પડઘા હજુ શમ્યા નથી અને ફફડાટનો માહોલ યથાવત રહ્યો છે ત્યારે નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર હવે ગમે ત્યારે બદલીના સામુહિક ઓર્ડર રિલીઝ કરે તેવી પ્રબળ શકયતા છે.

વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાપાલિકામાં લાંબા સમયથી તમામ શાખાઓમાં સામુહિક બદલીઓ ન થઇ હોય અનેક અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ બ્રાન્ચમાં, એક જ પોસ્ટ ઉપર કે એક જ ટેબલ ઉપર ફરજ બજાવી રહ્યા હોય છે, આવા તમામની વહીવટી સરળતાના હેતુથી બદલીઓ કરીને મોટાપાયે સાફસૂફી કરવામાં આવશે.

રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક વખત મહેકમ શાખા અધિકારી સાથે મિટિંગ યોજતા આચારસંહિતા દરમિયાન આ અંગેનું હોમવર્ક થઇ ગયું હોવાની ચર્ચા છે. આગામી દિવસોમાં ભૂતકાળમાં કયારેય ન થયા હોય તેવા સામુહિક બદલીના ઓર્ડર થશે.
હાલમાં વોર્ડવાઇઝ ફાયર સેફટી અને ફાયર એનઓસી તેમજ બીયુ સર્ટિફિકેટના ચેકિંગની કામગીરી જ ટોપ પ્રયોરિટીમાં ચાલી રહી હોય તાત્કાલિક અસરથી સ્ટાફમાં કોઇ ફેરફાર કરાયો ન હતો.
 તદઉપરાંત આચારસંહિતા અમલી હોવાને કારણે પણ બદલીના હત્પકમ કરાયા ન હતા પરંતુ હવે ફાયર એનઓસીની ચેકિંગ ડ્રાઇવ પણ સુપેરે ચાલી રહી હોય અને આચારસંહિતા પૂર્ણ થઇ ગઇ હોય હવે બદલીના ઓર્ડર આડે કોઇ વિધ્ન નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application