ગુજરાત રાજયના મહેસુલ વિભાગ નિયંત્રણ હેઠળ આવતા મામલતદાર વર્ગ–૨ને ગઈકાલે મોટા પાયે બઢતી સાથે બદલી આપવામાં આવી છે.
૮૩ મામલતદારોને બદલી કરી છે.તો ૧૦૮ મામલતદારોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે આ બદલી અને બઢતી ના દોર માં સૌરાષ્ટ્ર્રના મામલતદાર મધ્ય ગુજરાતમા અને મધ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર્રમા મુકવામા આવયા છે.
રાજકોટ પડધરી ના મામલતદાર કૃષ્ણકુમાર ચુડાસમા ને મામલતદાર ધારી તરીકે મૂકવામાં આવ્યા છે કે બી સંગાણી મામલતદાર જામકંડોરણા અને મામલતદાર લીલીયા અમરેલી મૂકવામાં આવ્યા છે. મહેશ ડી ગોહેલ મામલતદાર ધાંગધ્રા ને મામલતદાર વડીયા તરીકે મૂકવામાં આવ્યા છે.
રાજકોટ મામલતદાર તરીકે ફરજ બજાવતા મીરાબેન જાનીને પી.આર.ઓ જિલ્લા પોરબંદર તરીકે મૂકવામાં આવ્યા છે.
કિશન ચાંદલીયા મામલતદાર મેંદરડાને મામલતદાર ભાવનગર સિટીમાં મૂકવામાં આવ્યા છે વાંકાનેર ના મામલતદાર યુવી વાકાણીને મામલતદાર કલોલ ગાંધીનગર મુકવામાં આવ્યા છે દિનેશકુમાર નાથાભાઈ ભાડ મામલતદાર લોધિકાને મામલતદાર એટીવીટી રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર મુકવામાં આવ્યા છે.
કુ.ટી.બી.ત્રિવેદી મામલતદાર ધ્રોલ ને મામલતદાર કાલાવડ તરીકે મૂકવામાં આવ્યા છે. મહેશ ડી શુકલા મામલતદાર રાજકોટ સીટી વેસ્ટ ને મામલતદાર માણાવદર તરીકે મૂકવામાં આવ્યા છે એચ એન પરમાર મામલતદાર સુત્રાપાડા ને મામલતદાર માંગરોળ તરીકે મુકાયા છે.
જે.એસ.સીધી. મામલતદાર ડિઝાસ્ટર મોરબી ને મામલતદાર ગાંધીધામ કચ્છ મુકવામા આવ્યા છે.એમ.ટી.ધનવાણી મામલતદાર ઉપલેટાને મોરબી રલ માં મુકવામાં આવ્યા છે.
નિખિલ મહેતા મોરબી ગ્રામ્ય મામલતદારને પી.આર.ઓ રાજકોટ જિલ્લામાં મૂકવામાં આવ્યા છે. કેતન સખીયા મામલતદાર ટંકારાને પડધરી મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે.
અલ્પેશ જોશી ધોરાજી મામલતદારને વડોદરા પૂર્વ વિસ્તારના મામલતદાર તરીકે મૂકવામાં આવ્યા છે. જીગર પટેલ મામલતદાર માળીયાહાટી ને મામલતદાર વડોદરા ગ્રામ્ય માં મુકવામાં આવ્યા છે.
ગીર સોમનાથમાં ફરજ બજાવતા અજીત કુમાર જોશી ની મામલતદારની બઢતી સાથે રાજકોટ સીટી વેસ્ટ મા બદલી કરવામાં આવી છે.
અમરેલી ખાતે ફરજ બજાવતા અશોકકુમાર મકવાણા ને પી.આર.ઓ જુનાગઢ બનાવવામાં આવ્યા છે દેવભૂમિ દ્રારકા ખાતે ફરજ બજાવતા ભરતકુમાર સાસણીયા ને મામલતદાર પોરબંદર શહેર મૂકવામાં આવ્યા છે.
કચ્છમાં ફરજ બજાવતા નસીબ સુમરા ને મામલતદાર અબડાસા પ્રફુલચદ્રં ગોર કચ્છથી ટંકારા નિતેશકુમાર પંડા કચ્છથી ઘાટલોડિયા અમદાવાદ પશ્ચિમ પુલિન ઠાકર કચ્છથી ઉપલેટા બલદેવભાઈ દેસાઈ કચ્છથી ગાંધીનગર મહાનગરપાલિકા મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.
ભાવનગર ખાતે ફરજ બજાવતા કિશોર સુમરા ને મામલતદાર બાબરા ધર્મેન્દ્ર વરમોરા ને મામલતદાર સોમનાથ કોડીનાર ઉમેશ ગોડા ને સુત્રાપાડા વિશાલ ત્રિવેદી વંથલી મામલતદાર સિધ્ધરાજસિંહ વાળા મામલતદાર ગઢડા બોટાદ મૂકવામાં આવ્યા છે જીતેન્દ્ર કરસનભાઈ કાછિયા મામલતદાર ખેડા તરીકે મૂકવામાં આવ્યા છે.
અમરેલી ખાતે ફરજ બજાવતા વિજયકુમાર ડેર ને મામલતદાર પાલીતાણા રીટાબેન રામીને મામલતદાર ગલતેશ્વર મહેશકુમાર પરમાર ને મામલતદાર હિંમતનગર મનોજકુમાર જાણીને મામલતદાર તળાજા અશ્વિનકુમાર કુમાવત ને પિયારો ભાવનગર કનુભાઈ વાળાને મામલતદાર માલિયા હાટીના નિલેશકુમાર મિશાનીને મામલતદાર મેંદરડા ખાતે મૂકવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech