જામનગરમાં પરણીતાનો ઝેરી દવા પી આપઘાત

  • August 08, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પરણીતાનો ઝેરી દવા પી આપઘાત


જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતી એક પરણીતાએ પોતાના સંતાનો ઝઘડી રહ્યા હોવાથી ગુસ્સામાં આવી જઈ ઝેર પીલઈ આત્મહત્યા કરી લીધી છે.

કાલાવડનાકા બહાર મામાના મંદિર સામે રહેતી જશવંતીબેન ઉર્ફે જયશ્રીબેન વિનોદભાઈ કટેશીયા નામની ૩૨ વર્ષની પરણીતાએ પોતાના ઘેર ગુસ્સામાં આવી જઈ ખડ બાળવાની દવા પી લીધી હતી. જેથી તેણીને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. 

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી-એ ડિવિઝનના પી.એસ.આઇ. એમ.કે. બ્લોચે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર પરણીતાના ત્રણ સંતાનો કે જેઓ રમતા હોય ત્યારે અંદરોઅંદર ઝઘડો કરતા હતા, તેથી માતાને મનમાં લાગી આવતાં ગુસ્સામાં આવીને આત્મહત્યા કરી લીધી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application