પડધરીના ખાખડાબેલા ગામે પરિણીતાએ દશ દિવસ પૂર્વે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જે અંગે તળાજાના જુના સાગણા ગામે રહેતા પરિણીતાના ભાઇએ પડધરી પોલીસ મથકમાં પોતાના બનેવી સામે બહેનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.સંતાનમાં પુત્ર પ્રાી માટે ત્રાસ આપતા જે સહન ન થતા આ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ,પડધરીના ખાખડાબેલા ગામે ગત તા.૧૨૧૧ ના રોજ અણાબા વિરેન્દ્રસિંહ જાડેજા(ઉ.વ ૩૫) એ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જે અંગે ભાવનગરના તળાજા તાલુકાના જુના સાગાણા ગામે રહેતા પરિણીતાના ભાઇ શીવભદ્રસિંહ કિરીટસિંહ સરવૈયા(ઉ.વ ૨૬) દ્રારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના બનેવી વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા(રહે. ખાખડાબેલા તા. પડધરી) નું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપી સામે પત્નીને મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
શિવભદ્રસિંહે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના બહેન અણાબાના લ ૧૪ વર્ષ પૂર્વે પડધરીના ખાખડાબેલાના વતની વિરેન્દ્રસિંહ સાથે થયા હતાં.લ બાદ ૧૦ વર્ષ સુધી સંતાન ન થતા પતિ અવારનવાર તેમના પર શારીરિક–માનસિક ત્રાસ ગુજારતો હતો.લના દશ વર્ષ બાદ તેમને સંતાનમાં પુત્રની પ્રાી થઇ હતી. પરંતુ તેનો મગજનો વિકાસ ઓછો થયો હોય તે માનસિક રીતે અસ્વસ્થ છે ત્યારબાદ બીજા સંતાનમાં દીકરીનો જન્મ થતાં પતિને પુત્ર પ્રાિની ઈચ્છા હોય પરંતુ દીકરીનો જન્મ થવાથી તે પત્ની પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવા લાગ્યો હતો જે ત્રાસથી કંટાળી જઇ પરિણીતા અણાબાએ ગત તારીખ ૧૨૧૧ ના રોજ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. પરિણીતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે વિરેન્દ્રસિંહ જાડેજા સામે બીએનએસ કલમ ૧૦૮ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પડધરી પોલીસ મથકના પીઆઇ એસ.એન. પરમાર ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech