ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રધાનમંત્રીના જામનગર, દ્વારકા અને રાજકોટના કાર્યક્રમ માટે કુલ ૧૪૦૦ એસટી બસની ફાળવણી કરવામાં આવતા આજે અને આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં એસટી બસોના અસંખ્ય રૂટ રદ થશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ડિવિઝન દ્વારા દરરોજ કુલ ૪૮૦ રૂટ શેડ્યુલનું સંચાલન થાય છે, દરમિયાન પીએમના કાર્યક્રમ માટે ૨૦૦ બસની ફાળવણી કરતા આવતીકાલે ૧૩૦ રૂટની બસો રદ થશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના તમામ ૧૬ ડિવિઝનમાંથી કુલ ૧૪૦૦ બસોની ફાળવણી કરાઇ હોય અન્ય ડિવિઝનમાં પણ આજે અને આવતીકાલે રવિવારે અનેક બસ રૂટ રદ થશે. એકંદરે આજે અને કાલે એસટી બસમાં મુસાફરી ન કરવી હિતાવહ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech