'મણિપુર હિંસાને લઈને સોનિયા ગાંધીએ શાંતિની અપીલ કરતો વીડિયો કર્યો જાહેર

  • June 21, 2023 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વીડિયો સંદેશ જારી કરીને મણિપુરમાં શાંતિની અપીલ કરી છે. 


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ મણિપુર હિંસાને લઈને એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેમણે મણિપુરના લોકોને શાંતિની અપીલ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે મણિપુરમાં લોકોના જીવનને બરબાદ કરનાર હિંસાએ આપણા દેશની અંતરાત્મા પર ઊંડો ઘા છોડ્યો છે. 



સોનિયા ગાંધીએ કહ્યું કે અમે મણિપુરમાં લગભગ 50 દિવસથી મોટી માનવીય દુર્ઘટના જોઈ છે. આ હિંસાએ રાજ્યમાં હજારો લોકોના જીવનને બરબાદ કરી દીધું છે અને ઘણા લોકો ઉજ્જડ થઈ ગયા છે. હું એ તમામ લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે આ હિંસામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. શાંતિથી જીવતા આપણા ભાઈ-બહેનો એકબીજાની વિરુદ્ધ થઈ રહ્યા છે તે જોઈને હૃદય તૂટી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application